________________ 384 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. mo વાથી, અને એથેન્સમાં કેળવાએલા થવાનાં મુખ્ય સ્થાન સાર્વજનિક તમાશાનાં સ્થળા હતાં ત્યાં તેમને સ્થાન મળતું નહિ તેથી, અવશ્ય કરીને તેમનાં મન અત્યંત સંકુચિત સ્થિતિમાં રહેલાં હોવાં જોઈએ. થકીડાઈડીઝ કહે છે તે પ્રમાણે જે સ્ત્રીની સારી કે નરસી કાંઈ વાત જ થાય નહિ તે જ સ્ત્રી સ્ત્રીત્વના ઉત્તમ નમુના રૂપે તે વખતે ગણતી હતી. - તથાપિ પિતાના સંકુચિત પ્રદેશમાં તેમની જીંદગી ઘણું કરીને દુઃખી નહતી. કેળવણી અને મહાવરાને લીધે ગૃહકાર્ય કે જે તેમને જ ભાગે રહેતું હતું તેમાં તે ગુંથાઈ રહેતી અને આનંદ માનતી હતી; અને તેથી પિતાના પતિની બહારની વર્તણુંક તેના ધ્યાનમાં રહેતી નહિ. તે વખતની પ્રચલિત રીતભાત ઘણી સભ્ય અને વિવેકી હતી. કુટુંબ ક્લેશ કે જુલમની વાત કઈ લખતું નથી. પતિ ઘણું કરીને સાર્વજનિક કાર્યોમાં ગુંથાએલે રહે; વેહેમ કે કંકાસનાં કારણે કવચિત જ બનતાં; અને જે કે સ્ત્રી અને પુરૂષ બરાબરીઆ ગણાતા નહિ તથાપ ઘણા દંપતીઓ વચ્ચે પ્રેમ બેશક એની મેળે જામતે હતે. સંસાર અને તેના રીત રિવાજથી કેવળ અજ્ઞાન એવી એક પંદર વર્ષની મુગ્ધ બાળાને ભૂજમાં ભીડી પતિ તેને સત્કાર કેવા પ્રેમથી કરે છે અને ગૃહ રાજ્યની અધિષ્ઠાત્રી દેવી તરીકે તેણે શું શું કરવું તે બાબત કેવી શીખામણ પતિ એને આપે છે તેનું એક મનેહરી ચિત્ર ઝીફન એક સ્થળે આપે છે. અત્યંત કોમળતાથી પતિ એને શીખામણ આપે છે, પણ એક નાના બાળક પ્રત્યે જેવી ભાષા વપરાય તેવી ભાષા એ વાપરે છે. પતિ કહે છે કે તેનું કામ મધપુડાની રાશીની માફક નિરંતર ઘરમાં જ રહેવાનું અને તેના ગુલામેના કામ ઉપર દેખરેખ રાખવાનું છે. દરેકને પોતાપિતાનું કામ એણે વહેંચી આપવું જોઈએ, કુટુંબની પેદાશ કરકસરથી વાપરવી જોઈએ, જેડા, વાસણે અને કપડાં ઇત્યાદિ ઘરની વસ્તુઓ હમેશાં બરાબર એગ્ય વ્યવસ્થાસર ઘરમાં પિતાની જગાએ પડયાં છે કે કેમ? તેની બરાબર તપાસ એણે રાખવી જોઈએ; વળી તેના માંદા ગુલામની માવજત રાખવી એ પણ તેના કર્તવ્યને એક ભાગ છે. પણ અહીંઆ પત્ની વચમાં બોલી ઉઠે છે. “અરે,