________________ સ્ત્રીઓની પદવી. 387 પ્રજાના લશ્કરમાં રેડયાના અનેક દાખલા સ્પાર્ટીમાંના ઈતિહાસથી મળી આવે છે. તથાપિ સદ્દગુણી સ્ત્રીઓનાં નામ ગ્રીસના ઈતિહાસમાં કવચિત જ દેખાડે છે. એથેન્સના સમાજમાં ફેશિયન જ્યારે અગ્રસ્થાન ભેગવતે હતે. ત્યારે તેની સ્ત્રીએ જે નિર્મળ મરજાદા બતાવી હતી તે અને લગ્ન સ્નેહ અને માબાપ પ્રત્યે ભક્તિના થોડાક દાખલા વર્ણવાએલા છે, પણ સામાન્ય રીતે લેકેનું લક્ષ ખેંચનારી સ્ત્રીઓ વારાંગના જ હતી. ગ્રીક જીવનમાં આ વારાંગનાઓ જે સ્થાન ભગવતી હતી તે સમજવા માટે આપણું સમયમાં નીતિ પર જે છૂટ અપાય છે, તેનાથી તદન જૂદીજ જાતની ટને તે સમય હતો એ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ જન સ્વભાવની દરેક શકિત અને અંશને સંપૂર્ણ વિકાસ સર્વ પાસ કરે એ ગ્રીક મતે સર્વોત્તમતા લેખાતી હતી. ત્યાગકે તપવૃત્તિની વાત તો તેમની સમજણમાં પણ ઉતરતી નહોતી. મનુષ્ય સ્વભાવના સારા નરસા ભાગને ભેદ તેઓ સ્વીકારતા હતા અને નરસા ભાગથી તદ્દન ઘેરાઈ ગએલા જીવનને તેઓ અધમ ગણતા ન હતા પરંતુ કુદરતી વિકારનું સતત દમન તેમની વિચાર શ્રેણીને તદ્દન અજ્ઞાત હતું. તેમના કાયદામાં, નીતિના તેમના ધોરણમાં અને લેક વિચારમાં આજ સિદ્ધાંતનું સમર્થન હતું અને તેથી અત્યંત સદાચારી માણસને પણ વારાંગના સાથે ઉઘાડો સંબંધ રાખવામાં શરમ લાગતી નહિ. પરંતુ ઘણું સમાજેના અનુભવ ઉપરથી જણાય છે કે જાહેર મતને લીધે પુરૂષ વર્ગને કુલ સ્વતંત્રતા ભલે મળતી હોય, પણ સ્ત્રી વર્ગને તેવી સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. પરંતુ ગ્રીક સમાજમાં ઘણાં કારણોને લીધે વારગનાના વર્ગને એક ખાસ સ્થાન પ્રાપ્ત થયું હતું. રતિ દેવીની વિલાસી પૂજાથી તેમના ધંધાને એક જાતની ધાર્મિક પરવાનગી મળતી હતી. રતિ દેવીના મંદિરમાં પૂજારણે આ વારાંગનાઓ થતી હતી, અને કેરીથની પૂજારણેએ પિતાના શહેરનું સંકટ પ્રાર્થનાઓથી ટાળ્યું હતું એમ મનાતું હતું. આમ મંદિરની છાયામાં આ દુરાચાર પ્રવર્તિત થતો હતો. આ સ્થિતિ ઘણું શેહેરેની હતી.