________________ સ્ત્રીઓની પદવી. 389 અને ઘણીવાર આ સ્વતંત્રતાને ઉપયોગ જ્ઞાન સંપાદન કરવામાં તે કરતી અને આમ પિતાની અન્ય મોહિનીઓમાં તીવ્ર બુદ્ધિનું આકર્ષણ પણ તે ઉમેરી શકતી હતી. તેની આસપાસ કવિઓ, ચિતારાઓ, ઇતિહાસકારે અને તવેત્તાઓ એકઠા થઈ જતા, અને જમાનાના બુદ્ધિ-વિષયક અને કળા-વિષયક ઉભરાઓમાં કાંઈ પણ સંકેચ રાખ્યા વિના તે ઝંપલાવી દેતી, અને આમ અનુપમ સાહિત્ય-સમાજનું કેંદ્ર તે થઈ પડતી હતી. એ સપેશિયા કે જે પિતાના સૈન્દર્ય અને બુદ્ધિ-બનેને માટે પ્રખ્યાત હતી તેણે પેરિકલીઝને પ્રબળ પ્રેમ સંપાદન કર્યો હતે. પેરિકલીઝને વક્તત્વનું શિક્ષણ એણે આપ્યું કહેવાય છે અને તેના પ્રખ્યાત ભાષણમાંથી કેટલાક એણે લખી આપ્યાનું બેલાય છે. રાજકાજની બાબતમાં એની સલાહ વારંવાર લેવામાં આવતી, અને બીજા તત્વચિંતકની પેઠે સેક્રેટિસ પણ તેની મિજલસમાં જતા હતા. સોક્રેટિસે પતે પણ કબુલ કર્યું છે કે ડાયાટિમા નામની વારાંગના પાસેથી એ ઘણું શીખ્યો હતે. એપિક્યુરસની એક અતિ ઉત્સાહવાળી શિષ્યા લિયેનટિયમ નામની વારાંગના હતી. વળી નહિ કહેવા જેવી એક બીજી વાતની નોંધ પણ અહીં ઈતિહાસકારને લેવી પડે છે. ગ્રીક સુધારામાં એક વિચિત્ર પ્રકારની પણ ઘર કરી બેઠેલી ભ્રષ્ટતાની બદી સાથે સરખાવતાં, સ્ત્રીઓની સાથે ઉપર કહેલ અણઘટતે વ્યવહાર સારા માણસની જીદગીમાં સામાન્ય રીતે ચાલ્યો આવતે દેષ ગણાતે અને તેમાં નામોશી લેખાતી નહિ. આ બદી ગ્રીક લેકમાં કેવી રીતે પેકી તેના કારણમાં ઉતરવાની જરૂર નથી, પણ તેની અસર લૌકિક ધર્મ અને કળામાં પણ પેસી ગઈ હતી. એકંદરે આ બદી ગ્રીક કેમાં બેશક દુરાચાર તરીકે ગણાતી હતી, પરંતુ તે પ્રતિ ગ્રીક લોકેના અણગમાની લાગણી અર્વાચીન સમયના જેવી પ્રબળ નહોતી. તેથી કરીને, વારાંગના-વર્ગને ઉંચી સ્થિતિએ પહોંચવાનું આ બદી પણ એક આડકતરું કારણ થઈ પડયું હતું. આવાં કારણોને લીધે વેશ્યાઓના ધંધામાં શરમ લેખાતી નહિ, અને તેમના ધંધાને લેકે ભ્રષ્ટ કહેતા નહિ. તથાપિ સઘળા જમાનામાં બનતું