________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 373 લેકમાં પ્રવૃત્ત થઈ હતી. અને તે બતાવી આપે છે કે હવે ધર્મયુદ્ધોને જમાને આવતો હતો. ઈતિહાસ અને કલ્પિતકથા બનેમાં શાર્લમેનનું રાજ્ય મધ્યકાળના પ્રથમ સમય અને લડાયક ખ્રિસ્તિકાળના સંક્રાંતિકાળે આવેલું હતું. અહીં આપણે આ ઈતિહાસ પૂરે થાય છે. ઓગસ્ટસ અને શાર્લમેનની વચ્ચેના કાળમાં આચરણના અનેક નમુનાનાં ઉદય-અસ્ત આપણે જોયાં. યુરોપની વૃત્તિઓ રેમના સામ રાજ્યમાં વિસ્તૃત થઈ અને ગ્રીસના સુધારાથી બળવાન બની તે આપણે જાણ્યું. સ્ટોઈકમત, પ્લેટો-મત, અને મિસરના તત્ત્વજ્ઞાનની અસરથી સમાજની નીતિના વલણમાં કેવા કેવા ફેરફાર થયા તે પણ આપણે જાણ્યા. સામાજીક અને રાજકીય જીવનમાં, કાયદાના બંધારણમાં ઉન્નતિ કે અવનતિ કેવી થઈ હતી, યુરોપમાં ખ્રિસ્તિ ધર્મની બાલ્યાવસ્થા કેવી હતી, તેની ફતેહનાં કારણે કયાં હતાં, કેવી કેવી મુશ્કેલીઓમાં એણે પોતાનું કામ કર્યું હતું, અને તેમાં પરે પકાર અને દયાનું વલણ ઉપજાવી કેવી અમૂલ્ય જન સેવા એણે બજાવી હતી. આ બધું આપણે જોયું. પછી તેની ભ્રષ્ટતા, તેની તવૃત્તિ, અને તેની અક્ષમા, અને જંગલીઓના સંબંધમાં આવતાં તેનાં કેવાં રૂપાંતર થયાં, એ પણ આપણે જોયું. હવે આ બધાંની સ્ત્રીના ચારિત્ર્ય અને પદવી ઉપર કેવી અસર થઈ હતી, અને સ્ત્રી-પુરૂષને સંબંધ કે હવે જોઈએ એટલું જાણવાનું રહે છે. - પ્રકરણ 5 મું. સ્ત્રીઓની પદવી. - આગલાં પ્રકરણોમાં નીતિનાં પરિવર્તનને જે લાંબે ક્રમ અમે દર્શાવ્યો છે તેમાં અમુક અમુક લેકેમાં સ્ત્રીઓને કેવી કેવી પદવી અપાતી હતી અને સ્ત્રી અને પુરૂષના પાધરા સંબંધમાંથી જ કેવા કેવા સદાચાર અને