________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 371 રાજાને પદભ્રષ્ટ કરવાની કે તેને ઉંચે દરજજે ચઢાવવાની પિપની સત્તાને સ્વીકાર થયો અને તેથી પોપને એવી સત્તા પ્રાપ્ત થઈ કે જેની અસર યુરોપના ઈતિહાસ ઉપર ઘણી થઈ છે. ધર્મગુરૂને તાબે કાંઈક રહી જો રાજા વરતે તે ઘણે અંશે લેકેથી સ્વતંત્ર રીતે તે વરતી શકતો હતો. રાજા ફક્ત ઈશ્વરનો જ તાબેદાર છે એ હવે ધર્મને સ્થાપિત સિદ્ધાંત થઈ પડે; અને પવિત્ર ગણાવાથી રાજાની સત્તા વધી પડી, અને આ વેહેમ હજી પણ પૂરેપૂરે નાશ પામ્યો નથી. પરંતુ ઉપલા કરારનું આ રહસ્ય જે હજી બીજરૂપે તેમાં રહેલું હતું તે સમયના સંજોગથી વિકસિત થયું; કારણ કે મઠની સંસ્થા આ બીજના વિકાસને અનુકૂળ થઈ પડી. મઠની સંસ્થા દીનતા અને આજ્ઞાધીનતાના સદાચારને સર્વોત્તમ ગણતી હતી; અને અનેક કારણોને લીધે એ સંસ્થાનું જેર યુરોપમાં વધી પડયું હતું, અને તેથી તેનું દૃષ્ટિબિંદુ સર્વમાન્ય હતું. તેથી દીનતા અને આજ્ઞાધીનતાને પૂજવાનું વલણ લોકોમાં પેદા થયું હતું. આ બધું ધર્મ-સંસ્થાને અનુકૂળ હતું, અને તેથી તેણે પણ એ વાત ઉપાડી લીધી. પરિણામ એ આવ્યું કે રાજા અને અમીરે પૂજાવા લાગ્યા અને જાગીર–વ્યવસ્થાને વિકાસ થયો. વળી બીજી તરફથી સામાજીક અને રાજકીય કારણોને લીધે વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી થઈ ગઈ હતી. રાજા જે પ્રથમ માત્ર પોતાની જમાતને જ ઉપરી હતી તે હવે દેશને ધણી થયો; અને પોતાના મુખ્ય સરદારને છવાઈમાં જમીન આપો અને બદલામાં લશ્કરી નોકરી માગત, ધીમે ધીમે આ નેકરી અફર થઈ અને વંશપરંપરા ઉતરવા લાગી. સમાજની અંધાધુનીના સમયમાં નાના જમીનદારે ધર્મ-સંસ્થાને આશ્રય લેતા; અને ગણોત કે લશ્કરી કરીના બદલામાં પિતાની જમીન તે સંસ્થા પાસેથી પાછી લઈ સંસ્થાના ખેડૂ બનતા. બીજા કેટલાક એ પ્રમાણે કરતા નહિ, પણ પાડોશના આંતરના તાબેદાર થતા અથવા લશ્કરી નોકરી આપવાની શરતે તેમના રક્ષણમાં રહેતા. તે જ સમયે, આપણે આગળ કહ્યું છે તેમ, સ્વતંત્ર ખેડૂઓ ખેડૂ-ગુલામની દશામાં રહેતા. આમ ક્રમવાર દરજજા ધીમે