________________ કેસ્ટનટાઈનથી શામેન સુધી. 369 -~-~~-~ તેમણે દેખાડી હતી, અને સંત ગ્રેગરી તે ત્યાં સુધી પણ બોલ્યો હતો કે એના મૃત દેહને ગટરમાં ફેંકી નથી દેવા એ જોઈ એને દિલગીરી થાય છે. વિધર્મીઓ તે એમ પણ કહેતા હતા કે જુલિયન લડાઈમાં શત્રુના હાથથી મુઓ નહોતે, પણ પિતાના જ બ્રિતિ સિપાઈઓના ભાલાથી મૂઓ હતો. આ પ્રમાણે એ સમયે બ્રિસ્તિ ધર્મમાં પોતાના લાભાલાભનું જ ધરણ પ્રચલિત હતું, અને ઘણું સૈકાઓ સુધી એ ચાલુ રહ્યું હતું. ઇસ્તબુલની ગાદીએ કાસથી વધારે ક્રર અને ધિક્કારપાત્ર કે શહેનશાહ થયો નથી. તેની આગળને શહેનશાહ મૌરિસ નિર્બળ મનને અને લેભી હતો, પણ દુરાચારી નહોતે. પરંતુ વડા ધર્માધ્યક્ષની સત્તાની તેને અદેખાઈ આવી અને પિતે બ્રિતિ હોવા છતાં દેશના બચાવની ખાતર ખ્રિસ્તિ ધર્મ વિરૂદ્ધ તેણે વલણ બતાવ્યું હતું. આ મારિસને પદભ્રષ્ટ કરી શકાસ રાજા થયે. મારિસનાં પાંચ બાળકને તેની સમક્ષ કેકારો મારી નખાવ્યાં, અને પછી મેરિસને પણ એણે મારી નાખ્યો. છતાં ખ્રિસ્તિઓની નજરમાં ફકાસ ઘણે સારે અને મારિસ ઘણે નઠારે હતો. રાજાઓના સંબંધમાં વસ્તુ–પરિસ્થિતિ પૂર્વમાં અને પશ્ચિમમાં કેટલોક સમય ભિન્ન ભિન્ન હતી. પૂર્વમાં બાદશાહી સત્તા ધીમે ધીમે સર્વોપરી થઈ પડી અને પાદરીઓ અંતે તે સત્તાને આધીન રહેવા લાગ્યા હતા. પરંતુ પશ્ચિમમાં ધર્મ ગુરૂની સત્તા રાજાથી સ્વતંત્ર થઈ હતી અને વખતે ધર્મગુરૂઓ રાજાના લાભની વિરૂદ્ધ પણ વરતતા હતા. રોમની મૂળ બાદશાહી સત્તા ઈસ્તંબુલમાં જઈને રહી; અને તેથી તેમના ધર્મગુરૂઓ રોમમાં આગેવાન થયા, અને પિપની સત્તા જામવાનું આ પણ એક મેટું કારણ હતું. વળી રોમના ઘણા શહેનશાહે એરિયસ મતના હતા; બીજા કેટલાકને ધર્મની વધી પડેલી સત્તા રચતી નહિ; કેટલાક પાખંડીઓને સતાવવામાં ઉત્સાહ બતાવતા નહિ, ઇત્યાદિ કારણોને લીધે કલહ થવા લાગ્યા હતા. તેથી ખ્રિસ્તિ સંસ્થાની લાગણી શહેનશાહ પ્રત્યે રહેતી નહિ. ગેલમાં પણ