________________ 318 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વળી જે સમયની આપણે વાત કરીએ છીએ તેમાં વ્યાવહારિક પદવિની પ્રતિષ્ઠાનાં બીજ પણ આપણે જોઈ શકીએ છીએ. આ પ્રતિષ્ઠા પાછળથી શોર્ય સંસ્થા રૂપે, રાજાઓના દૈવી હક રૂપે, અને અમીર વર્ગની પૂજનીયતા રૂપે, ઈતિહાસમાં દેખાવ દે છે; અને તેનાં બીજ પણ શાલમેનની પહેલાંના સમયમાં આપણને પ્રતીત થાય છે. સ્ટઈક મતના અંતની સાથે રોમની સ્વતંત્રતા તદન નષ્ટ થઈ અને બાદશાહી અમલ જામ્યો એ વાત આપણે જાણીએ છીએ. આ ફેરફારનાં કારણે જનસ્વભાવના સામાન્ય નિયમોમાં જ રહેલાં છે. જ્યાં લેકેની શકિતઓ જ્ઞાનથી વિકસિત થએલી હોતી નથી એવા સમાજની પ્રાથમિક અવસ્થામાં રાજાનું રાજ્ય સ્વભાવિક રીતે જ થાય છે; પણ સુધરેલા સમાજમાં રાજાનું રાજ્ય રેગ રૂપ છે અને તેના ઉપર અંકુશ ન હોય તે એ રેગ ફેલાઈ જવાનું તેમાં વલણ રહેલું છે. જ્યારે સ્વતંત્ર પ્રજા રાજકીય કર્તવ્ય કરવાં છેડી દે, ત્યારે તે પ્રજામાંથી સ્વતંત્રતાની ઈચ્છા અને શક્તિ અને ધીમે ધીમે જતાં રહે છે, અને તે પ્રજા નિર્બળ અને ભ્રષ્ટ થતી જાય છે, કારણ કે પ્રજા જીવતા પ્રાણીના જેવી હોય છે તે આગળ ન વધે તે તેને પાછળ હઠવું જ પડે છે. " ખ્રિસ્તિ ધર્મ મૂંગે મેંહે રાજસત્તાને તાબે રહેવાનું કહેતા હતા, પણ રાજકીય બાબતોમાં ચંચળ ભાગ લે નહિ. તેથી રાજકીય સ્વતંત્રતાની નષ્ટતા એણે ત્વરિત કરી. પરંતુ ધર્મની બાબતમાં પિતાની સ્વતંત્રતા એણે સાચવી રાખી હતી. રાજા ઈશ્વર છે એ વાતની તે ધર્મ ના પાડતા. તથાપિ, જે રાજા પિતાના ધર્મને અનુકૂળ હોય તેને ફિરસ્ત કહી ગુરૂઓ વખાસુતા હતા અને પ્રતિકૂળ હોય તેને પિશાચ કહી નિંદતા હતા. કલવિસ રાજ લેભી અને પાપી હતી, અને કેન્સ્ટનટાઈને ખ્રિસ્તિ થયા પછી પિતાના દીકરાને, સ્ત્રીને અને ભત્રિજાને મારી નાખ્યાં હતાં, છતાં તેમના વખાણું ખ્રિસ્તિઓ કરતા; અને જ્યુલિયન સદાચારી અને ઉદાર હતા, પણ બ્રિસ્તિ નહોતું તેથી તેઓ તેની ભારે નિંદા કરતા, અને તેના મૃત્યુને ઉત્સવ તરીકે ગણી જાહેર રીતે પિતાને આનંદ જણાવવાની નાલાયકી પણ