________________ યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પગબર શરીરને સ્વર્ગનું વચન આપો, તો ખ્રિસ્તિ ધમાધ્યક્ષો અનુગ્રહ ચિઠ્ઠીઓ આપતા. મુસલમાન સામે લડાઈ કરવી એ કર્તવ્ય છે એમ લગભગ બસે વરસ સુધી ખ્રિસિત પ્રદેશમાં મનાયું હતું, અને તેના પરિણામે શૌર્ય અને સંન્યાસને એકત્ર કરી ખાસ વર્ગો ઉત્પન્ન થયા. પરંતુ ખ્રિસ્તિ ધર્મ અત્યાર સુધી જે પિતાની કોમળતા અને સલાહ શાંતિના વલણને વખણાત હતા તે વાત હવે જતી રહી. * ખાનગી લડાઈએ અને તેરમા સૈકાની આખરમાં ઠંદ યુદ્ધનો પ્રચાર થયે તેને અટકાવવામાં ખ્રિસ્તિ ગુરૂઓ કાંઈક સફળ થયા હતા એ વાત ખરી, પણ ધર્મના ઝનુનને ઉશ્કેરી ધર્મને નામે જે ખુનખાર લડાઈઓ અને ત્રાસ ખ્રિસ્તિ ધર્મ ઉપજાવ્યો છે તે માત્ર ઈસ્લામ ધર્મથી જ ઉતરતો. છે. હાલમાં જે સલાહ શાંતિના વિચારો પ્રસરેલા છે તેનું કારણ ઔદ્યોગિક પવનને ઉદય છે અને તેમને ધાર્મિક લાભો સાથે કોઈ સંબંધ નથી, અને કેટલીક બાબતમાં તે તેમની વચ્ચે વિરોધ પણ છે. પરંતુ જે કે ખ્રિસ્તિ ધર્મ ધમધ બની ઘણી લડાઈએ કરાવી છે અને તેથી શય, અંટસ અને વેરની વૃત્તિઓને ઘણી ઉત્તેજીત કરી છે એ વાત ખરી, તથાપિ લડાઈઓમાં થતી ક્રૂરતા ઘણી ઓછી કરાવવાનું ખરે. ખરું લાભપ્રદ કામ એણે કર્યું છે. છતાએલી પ્રજાને જૂદા જૂદા જમાનામાં જુદાં જુદાં ધોરણોથી સજા કરવામાં આવેલી છે, અને આ મત ભિન્નત્વ નીતિનાં સ્વાભાવિક પ્રત્યક્ષના સિદ્ધાંતની વિરૂદ્ધ જાય છે એમ કેટલાક દલીલ કરે છે. આ દલીલ યથાર્થ નથી એમ પ્રથમ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. મનુષ્યમાં બુદ્ધિને પ્રથમ ઉદય થાય છે ત્યારે સ્વાર્થ અને ક્રૂરતા કરતાં નિઃસ્વાર્થ અને પરોપકારને તે વધારે ઉત્તમ ગણે છે. પરંતુ આ પરેપકાર વૃત્તિને ઉપગ કયાં અને તેની સાથે કરે તેને નિર્ણય સમાજના સામાન્ય સંજોગે કરી આપે છે. અર્થાત પરોપકાર વૃત્તિ તે મનુષ્યમાં છે જ, પણ તેનું ધોરણ જમાનાના વિચારથી બંધાય છે. આ ધોરણ સુધારે વધતાં ધીમે ધીમે સુધરતું જાય છે. આ પ્રમાણે ગ્રીક લેકે ગ્રીકને ગુલામ કરતા નહિ, પણ જંગલીઓને જ ગુલામ બના