________________ કેસ્ટનટાઈથી શાર્લમેન સુધી. 365 ઈદ્રિયજન્ય સુખ અને મેહિનીઓ તથા નરકનાં તીવ્ર દુઃખોનું એવું તે સચોટ ચિત્ર તે આપતો કે તેથી લેકનાં મન ઉપર બહુ અસર થતી હતી. તેનું કુરાન બીજા ધર્મના પુસ્તક કરતાં ઉતરતું હોવા છતાં લાખો માણસને તેમાંથી દીલાસે અને આધાર મળ્યા છે. તેના પ્રારબ્ધવાદથી તેના અનુયાયીઓ ઘણું બહાદુર થતા અને અનિવાર્ય દુઃખના બોજાથી દબાઈ જવા છતાં ધીરજથી તે સહન કરતાં શીખતા. વળી ધર્મ ભાવના અને શૈર્ય ભાવનાને અતિ નિકટ સંબધ તે ધર્મ યે હતો. તેથી કરીને મારીને પણ આખી દુનિયાને મુસલમાન કરવી એ પ્રવૃત્તિ શરૂ થઈ. ધર્મને માટે લડતાં મરણ થાય તે સ્વર્ગ મળે એવી દૃઢ માન્યતાથી આરબ લડવૈયા દુનિયાને વિજય કરવા નીકળી પડ્યા, અને મહમદ પગબરના મૃત્યુ પછી એક સૈકામાં તે પૂર્વનાં રાજ્યને એણે મહાત કર્યા. ખ્રિસ્તિ ધર્મને પિતાના મૂળ વતનમાંથી લગભગ હાંકી કાઢયે; એશિયા અને આફ્રિકામાં મોટાં મોટાં રાજ્ય સ્થાપ્યાં. સ્પેનમાં અલ્પજીવી અને વિદેશીય પણ ઉત્તમ સુધારે રે, રોમના પૂર્વ તરફના રાજ્યની રાજધાનીને ભય ભરેલી સ્થિતિમાં લાવી મૂકી, અને એક જ લડાઈમાં તેઓ હારી ગયા નહોત તો મધ્ય યુરોપમાં પણ તેમની સત્તા જામી જાત. પરંતુ પિઈટીઅર્સની લડાઈમાં ચાર્લ્સ માટેલે તેમના વિજયના પ્રવાહને તેડી પાડે, અને ટયુટોનિક જાતો કે જેમણે વારંવાર પિતાને ધર્મ બદલાવ્યો હતું અને જેમના ઉપર વધારાના પ્રવાહને બહુ આધાર હતો તે જાતો જે ઇસ્લામ ધર્મના વિજય વાવટા નીચે આવી ગઈ હતી તે યુરોપનું શું થાત તેને વિચાર કરવો હવે નકામે હતા, પરંતુ આ પરિસ્થિતિથી ખ્રિસ્તિ ધર્મમાં પણ એક મેટ ફેરફાર થઈ ગયો. ખ્રિસ્તિઓની લડાયક અને વહેમી જાતને જુએ પાછો તાજે થયે, અને મુસલમાની ધર્મને પવન ખ્રિસ્તિ ધર્મમાં પેઠે, અને ધર્મ અને અભિમાન આમ ખ્રિસ્તિ ધર્મમાં ભેગાં થઈ ગયાં. તેથી જે ઈસ્લામ ધર્મ તેમના ધર્મને આટલું અપમાન આપ્યું હતું, જે ધર્મ તેમના દેશને પાયમાલ કર્યો હતો અને તેમના પવિત્ર શહેરને ભ્રષ્ટ કર્યું હતું તેની સામે લડવા તેઓ તૈયાર થઈ ગયા. મહમદ