________________ 370 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. રાજાઓ હાકેમના હાથમાં પૂતળા સમાન થઈ રહ્યા. આવી નિરાશાસૂચક સ્થિતિમાંથી રાજાઓના દિવ્ય હકનો સિદ્ધાંત અને શૌર્ય-સંસ્થાની સારભૂત સામાન્ય પદવી પૂજા ધીમે ધીમે કેમ વિકસિત થયાં તે હવે આપણે જોઈએ. જ્યારે આઠમા સૈકામાં શહેનશાહ લિએ પ્રતિમાઓની પૂજા બધા કરવાને યત્ન કર્યો ત્યારે ઇસ્તંબુલમાં તેની સામે વિરોધ તે થયો પણ તે તરત જ બંધ પડી ગયો. પરંતુ રેમના વડા ધર્માધ્યક્ષે હિંમતથી તે શેહેનશાહને બહિષ્કત કર્યો, અને બળવામાં આગેવાન થઈ પરિણામે ઈટાલીને સ્વતંત્ર કર્યું. અને પિતાના બુદ્ધિ કૌશલ્ય અને કામ કરવાની કુનેહથી ધર્મની બાબતમાં આખા યુરોપમાં તેનું ઉપરીપણું જામી ગયું. પરંતુ હજી પિપને અને રેમ તેમના હુમલાથી જોખમમાં આવતું. તેથી પિપે શરા ફેંક કોની મદદ માગી. રાજમહેલને વડો હાકેમ તે વખતે ચાર્સ માટેલ હતા. તેણે મુસલમાનોને હરાવી યુરોપને બચાવ્યું હતું. પણ તેણે પિપની માગણી ઉપર ધ્યાન આપ્યું નહિ. પરંતુ એના મૃત્યુ પછી એના દીકરા પેપિને પિપની સાથે કરાર કરી મદદ આપવાનું વચન આપ્યું. તેમાં એવું ઠરાવ્યું કે પિપને ધાસ્તીમાંથી પેપિને મુક્ત કરે અને પિપે પેપિનને ટ્રેકના રાજા તરીકે કબુલ રાખી તેમાં ધર્મની બહાલી આપવી.ગલની ગાદીએ તે વખતે મેરેવિંગીયન વંશને રાજા હતો. તેને પદભ્રષ્ટ કરી પોતે જ રાજ્ય બાવી પાડવાની પેપિનની ઈચ્છા હતી. પરિણામ એ આવ્યું કે લેબા લેકેની સત્તા પિપિને તેડી રેવેન્નાની સમૃદ્ધિવાન હાકેમી એણે પપને આપી. આથી કરીને પપની સત્તા બાઈકેંટાઈન રાજ્યથી જાહેર રીતે સ્વતંત્ર થઈ. બીજી તરફથી મેરેવિંગીયન વંશના છેલ્લા રાજાને પદભ્રષ્ટ કરી મઠમાં રાખ્યો અને પિપિનના મસ્તક ઉપર પિતાના હાથે પપે રાજ-મુગટ પહેરાવ્યો અને તેની સામે અગર તેના વંશજો સામે જે બંડ ઉઠાવે તે સઘળાને એણે શાપ આપે. હવે ઉપલા કરારમાં એક અતિ અગત્યને સિદ્ધાંત અંતર્ગત રહેલ હતો; કારણકે રાજાની સત્તા તેથી હમેશને માટે પવિત્ર ગણાવા લાગી. વળી