________________ કોન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 361 પિતાના દીકરાને, તેની વહુને અને તેની દીકરીઓને સાથે જીવતાં બાળી મૂક્યાં હતાં. રખેને તેના રૂપથી રાજા મોહિત થઈ જાય એવી ધાસ્તીથી તેની રાણુએ પિતાની સાવકી દીકરીને ડુબાડી મારી નાંખી હતી. એક ધર્મગુરૂએ એક ગરીબ માણસને તેની સ્ત્રી સાથે વ્યભિચાર કરવા માટે પરણે ઘરમાંથી કાઢી મૂક્ય, પણ તે માણસે એ બન્નેને મારી નાંખ્યા. એક રાજકુમાર પિતાના ગુલામને અગ્નિથી રીબાવી ગમત કરતે. એક ધર્મગુરૂની સ્ત્રીને અનેક સ્ત્રીઓને અને પુરૂષોને તપાવેલા લાલચોળ લેઢાથી શરમ ભરેલી રીતે રીબાવવાની ટેવ હતી. બુનેહ રાણુને ત્રાસ આપે એવી રીતે મારી નાંખવામાં આવી હતી. છતાં એજ જમાને અમુક અર્થમાં ઘણે ધાર્મિક હતિ. સાહિત્યની પ્રવૃત્તિ માત્ર ધર્મમાં હતી. દરેક જાતના પાખંડને ત્વરાથી નાશ થતો હતો. ગુરૂઓ અને પાદરીઓ તાલેવંત થયા હતા. કેટલાક રાજાઓ પણ સાધુ થયા હતા, અને ઘણા માણસે સંન્યાસી થતા. એ વખતે ઇતિહાસકારે પણ નીતિની તુલ્યના કેવી કરતા હતા તે એક દષ્ટાંતથી સ્પષ્ટ થશે. કલવિસ નામને રાજા આસ્તિક ખ્રિસ્તિ થયો. ગલના એક ભાગમાં એક બીજો રાજા એરિયસ મતને અનુયાયી હતા. તેના ઉપર ધર્મને ન્હાને ચડાઈ કરી એનું રાજ્ય એણે જીતી લીધું. કલ વિસ રાજ્ય લેભી હતો. તેને એક સગે સિધબર્ટ તેને મિત્ર હતો અને સ્વતંત્ર રાજા હતા. તેના છોકરાને ચડાવી સિધબર્ટને એણે મારી નંખાવ્યો પછી આ છોકરાને પણ ગુપ્ત રીતે મરાવી નાખી એના રાજ્યને કલવિસ ધણી થયો. ધીમે ધીમે પિતાનાં બધાં સગાને મારી નખાવી આખા ગેલને એ ધણી થયો. માત્ર પિતાનાં બાઈડી છોકરાંને એણે જીવતા રાખ્યાં. છતાં સંત ગ્રેગરી નામને લેખક આ રાજાનાં ભારોભાર વખાણ કરી કહે છે; “આસ્તિકાની સહાયમાં ઈશ્વર હમેશાં રહે છે; અને પાખંડીઓને તે સખત અને ક્રૂર શિક્ષા કરે છે. કલવિસ આસ્તિક હોવાથી આબાદ થયો હતે; અને એલેરિક પાખંડી હતું, તેથી પિતાનું રાજપાટ એ ખોઈ બેઠે;