________________ 362 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને મુઆ પછી નરકમાં ગયે.” વહેમનું આવું રાજ્ય તે સમયમાં ચાલતું હતું. શાલેમેને કાયદો કર્યો હતો કે લેન્ટ (માર્ચમાં) ના અપવાના દિવસમાં જે માંસાહાર કરે તેને દેહાંત દંડ દે. સેક્ષમાં પણ એ કાયદે હોતે, પોલ લેકમાં એવા ગુનેગારના દાંત પાડી નાખતા હતા. છતાં આવા વહેમના સમયમાં પણ મઠની સંસ્થાઓથી કેટલાક લાભ થયા હતા. જુલમગારના ત્રાસથી ત્રસ્ત થએલાને ત્યાં નિર્ભય આશ્રય મળતો હતે; જંગલી લશ્કરીઓના બળ સામે સાધુઓનું વજન પડતું હતું; લેકના હૃદય ઉપર એક પ્રકારની ધાર્મિક છાયા પડતી અને તેથી આચરણમાં કાંઈક કામળતા આવતી હતી; અને પિતાના દાખલાથી ઘણા પ્રકારની શાંત મહેનત કરવાના સાધુઓ રસ્તા બતાવતા હતા. તેમની કીર્તિ સાંભળી લેકે સંતની જાત્રાએ જતા હતા, પણ જ્યારે તે સંતનું સાદુ જીવન તેઓ જેતા અને અનેક પ્રકારે તેમને મહેનત કરતાં તેઓ જેતા, ત્યારે મહેનત મજુરી કરવામાં શરમ નથી એવો વિચાર તેમને ઉપજ્યા વિના રહેતા નહિ. વળી કેટલાક દિવસોને સાધુઓ પવિત્ર ગણતા અને તે દિવસે મેહેનત કરતા નહિ. આ વાત મજુર વર્ગને ઘણી કિંમતી થઈ પડી. રવિવારે અમુક વખતે પ્રભુની પ્રાર્થના થતી. અમુક અમુક દિવસે કેઈએ કાંઈ કામ કરવું નહિ એ કેન્સ્ટનટાઈને કાયદે કર્યો હતો. થિયોડેશિયસે તે દિવસે સાર્વજનિક તમાસા બંધ કર્યા હતા. આમ રવિવારે અને તહેવારોએ રજા પળાતી થઈ. તે દિવસે કામ કરે તેના ઉપર દૈવીકાપ થવાની અને તેને રોગ થયાની કે તેનું મૃત્યુ થયાની ચમત્કારિક આખ્યાયિકાઓ પણ કહે વાતી. અત્યંત અંધકારમય સમયમાં પણ સખાવત તે વચ્ચે જ જતી હતી. કેટલાક સાધુઓ દુઃખીની દાઝ જાણ તેમને બહુ સહાય કરતા હતા. પારિસના ધર્મગુરૂ સંત જરમેનસે બંદીવાને છોડાવવામાં બહુ પ્રખ્યાતિ મેળવી હતી. આમ એ જમાનામાં જે કે નઠારું ઘણું હતું; પણ થોડું ઘણું સારું પણ સાથે હતું. પરંતુ બ્રિરિત ધર્મને ફેલાવો કરીને જે જનસેવા તેમણે કરી છે તે ઘણી કિંમતી છે. ધર્મને ફેલાવો કરનારા આ સાધુઓને પ્રવાહ પ્રથમ