________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી, 357 અતિ અજાયબીની વાત છે. અસંખ્ય માણસ નરકની જવાળાનું દુઃખ નિરતર ભોગવે, અને તે પણ વળી ઘણુંખરા તે પિતાના ગુના માટે નહિ પણ પિતાના બાપદાદાએ કરેલી ભૂલને માટે, અથવા અધ્યાત્મ-શાસ્ત્ર કે ઈતિહાસના ગુંચવાડા ભરેલા પ્રશ્નમાં પિતાના ભૂલ ભરેલા વિચાર માટે તે વાત ખરેખર ઘણી ક્રૂર અને ગેરવાજબી છે. એવા ધર્મમાં નીતિને પાયો ઉધે વળી જાય છે. ધર્મને એ સિદ્ધાંત કાઈ સમજુ માણસ સ્વીકારે જ નહિ, કારણ કે એવા સિદ્ધાંતમાં આનંદ માણતો માણસ પિશાચી હેવાનજ થાય છે. છતાં પીટર લંબાઈ કહે છે કે ઈશ્વરના પ્રિય માણસેને જ અન્ય ધર્મનુયાયીઓ નરકમાં કેવાં દુઃખ ભોગવે છે તે નજરે જેવાને પ્રસંગ મળે છે; અને તેમને થતા દુઃખમાં ઈશ્વરનું વેર હોવાથી ન્યાયી માણસ તે જોવામાં આનંદ જ માણશે. પિતાના ધર્મને અનુસરીને દરેક બાબત સ્પષ્ટ કરી આપવાનું જે ઘેલું પાંચમા સૈકાઓમાં ધર્મ ગુરૂઓને લાગ્યું હતું તેના પરિણામે સ્વર્ગ અને નરકનાં આ પ્રત્યક્ષ દર્શને અસ્તિત્વમાં આવ્યાં છે. વળી તપિમય અને એકાંતિક જીવનની ભ્રમણને લીધે પણ સાધુ સન્યાસીઓને એવાં દર્શને થતાં; અને વળી જાણી જોઈને લોકોને છેતરવા ગપો પણ બહુ હંકાતી. પરંતુ ધર્મ ઉપજાવેલી આ તીવ્ર ધાસ્તીમાંથી છૂટવાને ઉપાય પણ વેહેમે બતાવી દીધો હતો. એક તરફથી દુષ્ટ પિશાચે હયાત હતા, તે બીજી તરફથી ફિરસ્તાઓ પણ હયાત હતા. તે વિષે મઠ કે દેવળમાં જઈ છૂટે હાથે બક્ષીસ આપો અને તમારું રક્ષણ કરવા ગુરૂ સાહેબ સમર્થ છે, એવી અનેક વાત કહેવામાં આવતી હતી. આમ એક તરફથી ધર્મ ગુરૂઓ ધર્મને નામે લેકના મનમાં તીવ્ર ધાસ્તી ઉપજાવતા હતા, અને બીજી તરફથી તે ધાસ્તીઓનું નિવારણ કરવા પિતે સમર્થ છે એમ સમજાવતા હતા. ખ્રિસ્તિ ધર્મને આવી રીતે જડ બનાવી દેવાને પ્રચાર કેટલે બધે વધી ગયો હતે તે જેમણે મધ્યકાળનું સાહિત્ય તપાસ્યું છે તેમને માલમ છે. સારાંશ કે અનેક રેહેમ વધી ગયા હતા અને તરેહવાર ચમત્કારો ગુરૂઓ બતાવવા લાગ્યા હતા, અને લેકે તે માનવા લાગ્યા હતા. વિધર્મીઓના ધર્મ જે