________________ 356 યુપીય પ્રજાના આચરણનો ઈતિહાસ બાંધ્યો હતો. તેની ચીસોથી આખું નરક થરથરી જતું હતું, પણ તેના હાથ છૂટા હતા અને તેથી શાપિત છેને પિતાના દાંતથી દ્રાક્ષની પેઠે છુંદી નાંખી એ ખાઈ જતો હતો અને પિતાના ધગધગતા ગળા વાટે તેમને પાછા બહાર કાઢો હતો. કેટલાક જીવને પિશાચે વારાફરતી અગ્નિમાં અને બરફમાં બોળતા હતા, કેટલાકને તેમની જીભથી લટકાવી રાખતા હતા; કેટલાકને બહેરી નાખતા હતા, ઇત્યાદિ ઇત્યાદિ. આ બધાં ચિત્રોમાં હડહડતું જૂઠાણું અને ઈશ્વરની નિંદા છે એ કહેવાની જરૂર નથી. ત્યારે પરલોક પણ આપણી સૃષ્ટિના જે જડ ર્યો દયાળુ ઈશ્વર શું એવાં દુઃખ દેતા હશે !! પરંતુ આવાં ચિત્રોથી સૈકાઓ પર્યત મનુષ્યનાં મન દુઃખિત અને વ્યથિત થયાં હતાં. પાખંડી પેલેજીયસ વિના સઘળા ખ્રિસ્તિઓ એમ માનતા હતા કે આદમના કામથી પૃથ્વીમાં દુઃખ અને મોત સજા રૂપે પેદા થયાં છે. પૃથ્વીને નાશ પાસે જ છે એમ સામાન્ય રીતે સૈ માનતા હતા; અને માથે પડવાનાં દુ:ખની કંઈ કંઈ કલ્પના કરતાં હતાં. કેથેલિક ગુરૂઓ નરકનાં ભયાનક ચિત્રો આપી એ કલ્પનાને સચેત રાખતા, અને નબળાઈ કે માંદગીના પ્રસંગે માણસે સેતાન કે પિશાચને સાક્ષાત જતાં હતાં. ખ્રિસ્તિઓની કમળાવાળી આંખને આખી દુનિયા શાપિત અને ઈશ્વરે તરછોડેલી લાગતી. એક ગામડીઆ છોકરાએ સંધ્યાકાળના શાંત સમયે પ્રશ્ન ર્યો કે દૃષ્ટિ-મર્યાદાની નીચે જતો સૂર્ય રાત કેમ દેખાતું હતું ? તેને જવાબ મળ્યો કે એ સમયે સૂર્ય નરકમાં નજર નાખતો હતો માટે. ટુંડેલના પ્રત્યક્ષદર્શનમાં એમ વર્ણવ્યું છે કે બીજાઓને નરકમાં દુઃખ પામતાં જોઈને તે બોલી ઉઠઃ “અફસોસ, સ્વામી ! મેં જે વારંવાર સાંભળ્યું હતું કે દુનિયા પ્રભુની દયાથી ભરપૂર છે તેમાં ત્યારે શું સત્ય ?" જે લેકે વિધર્મીઓના દેને ઈર્ષ્યાખોર અને કામાસક્ત કહી તેમની એક સમયે નિંદા કરતા હતા તે જ લોકે પિતાના ઈશ્વરને મનુષ્યની અત્યંત ક્રુરતા કરતાં પણ વધારે ક્રૂર કહે અને ચિતરે એ પણ એક નીતિના ઈતિહાસમાં