________________ 358 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. જ ખ્રિસ્તિધર્મ પતે જ અનેક દેવવાદી અને મૂર્તિપૂજક હવે બની ર હતો. ઉપર કહેલાં અનેક કારણોને લીધે પાદરી વર્ગની સત્તા અને સમૃદ્ધિ વધી પડયાં, અને તેઓ સર્વોપરિ સત્તા ભોગવવા લાગ્યા હતા. તેમની સામે થાય એવું કાઈ રહ્યું નહિ, અને બધી જાતની કેળવણી તેમના હાથમાં આવી ગઈ. યુરેપનાં જ્ઞાન અને કળા આ ધર્મમાં ગરક થઈ ગયાં, અને દિવ્ય, પદવી અને લશ્કરી સત્તા પણ તેના કબજામાં આવી; અને યુકિત અને વ્યવસ્થાથી આખા યુરોપ ઉપર એણે પોતાની સત્તાની જાળ પાથરી દીધી. ઉપરાંત અપૂર્વ ચતુરાઈથી પિતાની સંસ્થાનું તે ધર્મ રક્ષણ કરતો હતે. દરેક શંકાને તે પાપ ગણત, અને જે કઈ સહેજ પણ શંકા કે પ્રશ્ન કરે તે નરકનું અતિ બહામણું ચિત્ર તેની સમક્ષ તે રજુ કરતે; તેથી શંકા કરનારની કલ્પના થરથરી જતી હતી. અજ્ઞાનતા અને વહેમના આવા જમાનામાં જે શુરવીર પુરૂષોએ આવી જાળમાંથી મુક્ત થવા હિમત કરી હતી અને આપણું જ્ઞાન અને સ્વતંત્રતાને પાયે રખે તે તેમને માથે અનેક દુઃખ પડ્યાં હતાં અને તે આપણે સમજી શકીએ છીએ. પણ તેમના અંતરમાં આ સંસ્થાએ સ્ત્રી વેદના ઉપજાવી હશે તેને ખ્યાલ આવે પણ આપણને મુશ્કેલ છે. પરંપરાથી ચાલ્યા આવતા વિચારેને તજી દેવામાં પાપ છે, તેમના સ્વતંત્ર વિચાર તો છળ કરતા પિશાચની ઉશ્કેરણીના પરિણામ છે, અને એવી શંકાસ્પદ દશામાં જે એનું મૃત્યુ થયું તે નરકનાં તીવ્રતમ દુઃખો તેમને માટે તૈયાર જ છે; આવા આવા ઉપદેશથી પિતાને કેવળ એકલા પડી ગએલા તે માનતા.કઈ વિરૂદ્ધ સંસ્થા પણ નહોતી કે તેને આશ્રય લઈ તે પુરૂષ પિતાના મનનું સાંત્વન કરે. માનુષી પાપને લીધે મૃત્યુ થાય છે, ઈશ્વરના વેરને લીધે દુઃખ થાય છે અને સઘળા કુદરતી બનાવે ઈશ્વરના છૂટક છૂટક ચમત્કારે છે; આવા આવા ધાર્મિક વિચારોનું ખંડન કરતું વિજ્ઞાનશાસ્ત્ર અને ઐતિહાસિક વિવેચન પણ તે વખતે અસ્તિત્વમાં આવ્યાં નહોતાં. જ્યાં જુઓ ત્યાં એને અંધશ્રદ્ધા જ પ્રસરેલી લાગતી હતી અને ધર્મ ગુરૂની ધમકી તેમની સમક્ષ સતત્ રહેતી. આવા વખતમાં બુદ્ધિની સ્વતંત્રતા જાળવી રાખવાનું કામ કેટલું