________________ કન્સનટાઈથી શાર્લમેન સુધી. 333 ચિહ્નથી ભૂત ભાગી જાય છે. અને તેમ કરવાથી જ તે સહીસલામત રહ્યા હત; કારણ કે મધ્ય રીતે તે મદીર કાળા અને બીહામણુ આકારેથી ભરાઈ ગયું. પિતાના ત્યાગ કરેલા મંદીરમાં દેવ એપલએ દરબાર ભર્યો હતું, અને પિતાના અનુચર પિશાચેની સાથે ખ્રિસ્તિઓને કેવી રીતે ફસાવવા, તેને વિચાર એ કરતો હતો. એક તરતને પરણેલે રેમવાસી દડાની રમત રમતે હતે. અને રમતાં ન ફાવવાથી એણે પોતાની વીંટી કાઢી પાસે દેવી વિનસનું પૂતળું ઉભું હતું તેની આંગળીમાં પહેરાવી પાછે રમવા લાગ્યો. રમી રહ્યો ત્યારે પાછી વીંટી લેવા આવ્યા તે દેવીની આંગળી એવી રીતે વળી ગઈ હતી કે વીંટી કાઢી શકાઈ નહિ. અને તે રાતે દેવી તેના સ્વપ્નમાં આવ્યાં અને કહેવા લાગ્યાં કે હવે તે તેની પત્ની થયાં છે અને તેથી તેની સાથે જ રોજ તેના ઘરમાં રહેશે. આવી અનેક વાત ચાલતી. તપિત્તિના પ્રથમ વિસ્તારનાં કેટલાક કારણે અમે ઉપર બતાવ્યાં છે અને તે કારણોને વ્યાપાર ચાલુ હતી દરમ્યાન અન્ય પ્રબળ કારણે પણ ઉપજી આવ્યાં હતાં. જંગલીઓના નિરંતર હુમલાથી રેમનું રાજ્ય ત્વરાથી પડી ભાગ્યું. તેથી પિતે હેરાન ન થાય એ સ્થળે જઈ શાંત રીતે મેહનત કરી ગુજરાન કરે એવા આશ્રમની લેકને જરૂર હતી. તેથી સંત બેનેડિકટે વ્યવસ્થિત કરેલી મડ-સંસ્થામાં લોકોને આકર્ષણ કરે એવાં વિધવિધ જાતનાં તત્વે દાખલ થયાં. આ સંસ્થામાં અમીરી અને પ્રજાસત્તા તો એક સાથે હતાં, મઠાધિપતિને દરજજો અને સત્તા રાજાનાં જેવાં હતાં, અને તેથી મઠાધિપતિ થવાની અમીરી કુટુંબનાં માણસો આકાંક્ષા કરતા અને ઘણું કરીને થતા. અને મુક્ત અથએલા ગુલામે, અથવા પોતાનું સર્વસ્વ ખોઈ બેઠેલા ખેડૂતો, અથવા અમીરના જુલમથી ત્રાસ પામેલા માણસો અથવા લશ્કરમાંથી નાસી આવેલા સિપાઈઓ, અથવા જેને નિર્ભય અને શાંત અંદગી ગૂજારવાની ઈચ્છા હોય તે આ બધાને બેલાશક મઠમાં આશ્રય મળતો હતો. મઠાધિપતિ જાતે ગરી