________________ મસ્ટનટાઈનથી શાલેમન સુધી. છોડી દે નહિ, તે ખ્રિસ્તિ ગુરૂઓ એને નરકના નિરંતર અગ્નિની ધમકી આપતા હતા. પરંતુ જૂના સંસ્કારે હૃદયમાંથી એકદમ ખસતા નથી, તેથી આગલા ધર્મમાં જે જે ચમત્કારરૂપ મનાતું હતું તેને પિશાનું કામ ખ્રિસ્તિ ગુરૂઓ કહેતા. તેથી પણ વિધર્મીઓની નજરમાં પિતાને આગલે ધર્મ ભ્રષ્ટ જ લાગતે. ઉત્તમ પ્રકારની આવી ધર્મ-ભક્તિ ઉપરાંત, ખ્રિસ્તિ ધર્મ ફેલાવવામાં ખ્રિસિત ધર્મગુરૂઓ સમયને સમજીને પિતાની બુદ્ધિનો ઉપયોગ કરવામાં પણ બહુ કુશળ હતા. જંગલી જાતે ઘણું કરીને પિતાના રાજાને ધર્મ વગર તપાસે સ્વીકારી લેતી, અને રાજાએ ઘણું કરીને તેમની રાણીઓથી પ્રેરિત થતા હતા; તેથી ખ્રિસ્તિ ગુરૂઓ પ્રથમ રાજા રાણીને, અને તેમાંય રાણીને, ખ્રિસ્તિ કરવાનો પ્રયાસ કરતા, અને તે પ્રયાસમાં તેઓ સફળ થતા હતા. અને આ પ્રમાણે કેટલીક રાણીઓની સહાયથી જ તેમના રાજાઓને ખ્રિસ્તિ ધર્મમાં લાવી શકાયા હતા. કલ્પનાને ઉશ્કેરે એવી કોઈ પણ વાતનું વિસ્મરણ તેઓ કરતા નહિ, એવું કહેવાય છે કે રાણી કટિલ્ડાએ ધાર્મિક ક્રિયાઓ થતી વખતે આવેલા મૂલ્યવાન પડદા તરફ પિતાના સ્વામીનું લક્ષ ખેંચવાની ખાસ સંભાળ રાખી હતી. નરકના ભયાનક બનાવોનું ચિત્ર ચીત્રાવી તેઓ વિધર્મીઓને બતાવતા હતા, અને વિધર્મએ તેથી થરથરી જતા હતા. વળી ખ્રિસ્તિ ધર્મની પછવાડે પછવાડે આ દુનિયામાં વિજય ચા આવે છે અને મૂર્તિપૂજ, પાખંડ, ધર્મભ્રષ્ટતા, કે દુરાચારની શિક્ષારૂપે મરકી, દુકાળ કે દુશ્મનોથી પરાજ્ય ઈત્યાદિ આવે છે એવી માન્યતાને ખાસ કરીને યુક્તિપૂર્વક ઉપદેશ તેઓ આપતા હતા; તેથી તેમને ધમ બહુ પ્રસર્યો હતો. ભોળા જંગલીઓ તે શુદ્ધ બુદ્ધિથી માનતા; અને આશા, ધાસ્તી, ઉપકાર અને પશ્ચાતાપને લીધે તેમનાં ટોળેટોળાં ખ્રિસ્તિઓ થતાં વિધર્મીઓના દેવાની અને ઉત્સવોની જગા બિસ્તિ ધર્મના સંતોથી અને ક્રિયાઓથી પૂરાવા લાગી, તેથી આ ફેરફાર ઓછો વસમો લાગતું હતું અને અન્ય ધર્મમાં જવાનું દુઃખ કમી થતું હતું. વળી ખ્રિસ્તિ ગુલામે પણ પિતાના ધર્મના વખાણ પિતાના શેઠને કરતા હતા. અને જ્યારે રાજા અને તેનું લશ્કર પ્રિસ્તિ થઈ રહ્યું, ત્યારે