________________ 350 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વળી કેટલાક એવી દલીલ કરે છે કે કેટલાક સૈકાઓ પર્યત મહા બુદ્ધિમાન પુરૂજ મહાન ધર્મ-શાસ્ત્રવેત્તા હતા; તેથી કેથલિક ધર્મ કે જેણે એવા સમર્થ પુરૂષોને ઉપજાવ્યા હતા તે જે ન થયું હોત તે જગત ગાઢ અંધકારમાં વ્યાપ્ત થઈ જાત. આ દલીલ પણ હાસ્યજનક છે. એક કેદીએ પિતાની આખી જીંદગી અંધારી ઓરડીમાં ગાળી હતી, અને દીવાલની એક તડમાંથી જ માત્ર પ્રકાશનું ભાન એને થતું હતું. તેથી તે એમ ધારવા લાગે કે જે આખી દીવાલ જતી રહેશે તે એ તડ પણ એની સાથે જતી રહેશે. અને તેથી એટલે પ્રકાશ પણ આવે બંધ થઈ જશે. ઉપલી દલીલ પણ આના જેવી જ છે. મધ્યકાળને કેથલિક સંપ્રદાય ધર્મ સિવાય અન્ય અભ્યાસની અવગણના કરી તેને દાબી દેતે હતા, અને બુદ્ધિમાન ધર્મ ગુરૂને દ્રવ્ય, આબરૂ અને સત્તા આપતે હતે. એટલા માટે, સ્વાભાવિક રીતે જ બુદ્ધિમાન પુરૂષો એને સાંપડતા ગયા; પરંતુ કેથોલિક ધર્મ આવ્યો નહોત તો પણ એ પુરૂષ તે હયાત જ રહેત અને અન્ય દિશામાં પ્રવૃત્તિ કરત. બુદ્ધિના ક્ષેત્રમાં મધ્યકાળના કેથલિક સંપ્રદાયે સ્વતંત્ર પ્રવૃત્તિ કાંઈ જ કરી નથી એમ અમારું કહેવું નથી. મહાન નૈતિક કે ધાર્મિક ઉત્સાહ હમેશાં બુદ્ધિમાનની બુદ્ધિને કાંઈક જાગ્રત કરે છે, અને મઠની સંસ્થાઓમાં અમુક પ્રકારની બુદ્ધિને ખીલવવાની ખાસ યોગ્યતા હતી. સંત ટોમસ એકિવનાસ અને તેના અનુયાયીઓના ગ્રંથે અને બેનેડિટાઇન સંસ્થાના સાધુઓની વિશાળ અને પવિત્ર વિદ્વતા તેમને માન અપાવે એવાં છે. પરંતુ નવાઈની વાત એટલી જ છે કે સાહિત્યને દીપાવે એવા અસંખ્ય માણસની હાજરી એ સંસ્થામાં હતી છતાં, અને સંજોગ અને સ્થિતિની સંપૂર્ણ અનુકૂલતા હતી છતાં, પ્રાચીન મની ભાષા કે સાહિત્યના સામું તેણે જોયું નહિ અને મનુષ્ય જાતના સંગીન જ્ઞાનમાં કાંઈ વધારો કર્યો નહિ. વળી આ વાત પણ ખરેખર લક્ષમાં રાખવા જેવી છે કે જે કાળે કેથલિક સંપ્રદાયની સત્તા અત્યંત સંપૂર્ણ હતી ત્યારે પણ, કેટલાક મહાન કાર્યો જે થયાં