________________ કન્સ્ટનટાઇનથી શાર્લમેન હતાં તે કાં તે ધાર્મિક વગરનાં વિધી થયાં હતાં અને કાં તો તેની બહારનાં હતાં. રેજર બેકન કેથોલિક ધર્મનું જ પ્રાણુ ગણતું હતું, પણ જમાનાના વલણની વિરૂદ્ધ થઈને કુદરતના અભ્યાસમાં એ પ્રવૃત્ત થયો; તેથી ચૈદ વર્ષ એને કેદમાં રહેવું પડયું હતું, અને મુઆ પછી એને જાદુગર ઠરાવવામાં આવ્યો હતો. કિમિયાની પ્રવૃત્તિને લીધે અથવા મુસલમાનના ઉત્તેજનને લીધે મધ્યકાળની રસાયન શાળાઓ ઉભી થવા પામી હતી. હોકાયંત્ર, ફેડવાને દારૂ, અને ચીંથરામાંથી કાગળ બનાવવાની શોધ થઈ હતી, પણ તે કઈ સાધુએ કરી નથી. દારૂગોળાની માહીતિ પ્રથમ મુસલમાનેને હતી. ઈ. સ. 1338 પહેલાં યુરોપને તેની ખબર નહોતી. મઠની સંસ્થાઓ તે તર્કશાસ્ત્રનું સ્વરૂપ ખીલવવામાં જ કુશળ હતી. શાંત અને મેહેનતુ પણ ઘણું કરીને પરીક્ષા કરવામાં કેવળ કાચા એવા ઘણું વિદ્વાનો તેમણે ઉપજાવ્યા છે. પરંતુ વ્યાવહારિક જ્ઞાનને ભોગ આપ એ ઉત્તમ વાત છે એ ઉપદેશ તેઓ આપતા હતા; સૃષ્ટિ તંત્રને કેવળ ખોટ વિચાર તેઓ લેકેના મન ઉપર ઠસાવતા હતા; અને અંધશ્રદ્ધા અને અક્ષમા કે જે મનુષ્યની બુદ્ધિને વિષરૂપ છે તેમની ટેવ લેકમાં પાડવાનો પ્રયાસ કરતા હતા. વળી કેટલાક ઘણીવાર એમ કહે છે કે કેથલિક સંપ્રદાય સુધારામાં વિન રૂપ થયે છે એ વાત ખરી; એણે જુલમ અને ત્રાસ પણ ઘણે કર્યો છે એ વાત પણ ખરી, છતાં એક કાળે જમાનાથી ઘણે આગળ તે હતું અને તેથી મનુષ્ય જાતને ઘણો બુદ્ધિ વિષયક લાભ થયો છે. હવે આ વાતમાં સત્યાંશ છે એ અમે પોતે ઘણીવાર બુલ કર્યું છે. પણ મધ્યકાળમાં જે સિદ્ધાંત તેમણે પ્રચલિત કર્યા હતા તેમના આવશ્યક પરિણામ જ આ ત્રાસ અને જુલમ હતાં. તેથી એ સિદ્ધાંતના એકંદર પરિણામે ધ્યાનમાં લેવાં જોઈએ. કેટલાંક ઝેર એવાં હોય છે કે જેમની અસર મુઆ પહેલાં દુઃખને એ છું કરી શરીરમાં શાંતિ પ્રસરાવે છે. પણ ઝેર અંતે ઝેર જ નીવડે છે. આ શાંતિને સ્વીકાર કરવામાં અડચણ નથી, પણ તેની કિંમત કેટલી આપવી પડી છે તે વાત પણ વિચારમાં લેવાની છે. સારી અને