________________ ૩૫ર યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. નરસી એમ જ્યાં બે વાતે સાથે જ જોડાએલી હોય છે, ત્યાં નરસીને પડી મૂકી સારીને જ વખાણવી એ ભૂલ છે. એ બે વાતને છૂટી જ પાડી શકાય નહિ. બુદ્ધિના વિકાસને કેથલિક સંપ્રદાય પ્રતિકૂળ હતું એ વાત આમ સિદ્ધ થાય છે. તેથી કરીને અગત્યનાં નૈતિક પરિણામ પણ આવ્યાં છે. મધ્યકાળની ભોળી અંધશ્રદ્ધાને લીધે સત્ય પ્રતિ બેદરકારીને જન્મ થયો. ધર્મગુરૂઓ અસંખ્ય બનાવટી દંતકથાઓ લેકે સમક્ષ મૂકવા લાગ્યા અને લેકે તે માનવા લાગ્યા. આમ ધર્મગુરૂઓમાં જ સત્યનો પ્રેમ રહ્યો નહિ, અને તેથી સત્યની કિંમત લેકમાં પણ રહી નહિ. જે જમાનાને નિષ્પક્ષ વિચારની કિંમત નથી, તેને થોડા જ કાળમાં કથનની યથાર્થતાની કિમત રહેતી નથી; અને જ્યાં અંધ-શ્રદ્ધાને ખાસ સદાચાર ગણવામાં આવે ત્યાં જૂડ ઉપર દુરાચારનું કલંક લાંબો વખત રહેતું નથી. વળી જ્યાં લેકની દત માન્યતા એવી હોય કે પિતાના ધર્મમાં જ મોક્ષ છે અને સઘળાં પાપમાંથી એ ધર્મ તેમને મુક્ત કરી શકે એમ છે ત્યાં પોતાના ધર્મની ખાતર જે કાંઈ કરવામાં આવે તેમાં પાપ હોય જ નહિ એવો અભિપ્રાય તરત જ બંધાઈ જાય છે. આમ પિતે માનેલા સત્યની ખાતર સત્યનો પ્રેમ તેઓ ખોઈ બેસે છે. નીતિ ધર્મની દાસી બની જાય છે અને ધર્મની ખાતર જૂ હું બેલવાનો ભય રહેતો નથી. બીજું પરિણામ એ આવ્યું કે ગુના પેટે દ્રવ્ય આપી પાપમાંથી મુક્ત થવાને પ્રચાર પણ મઠ-સંસ્થાઓમાં અગ્રસ્થાને આવ્યો. હૃદયની વિશુદ્ધિને લીધે પ્રથમ વિધમીઓના ધર્મમાં અને ખ્રિસ્તિ ધર્મમાં મુખ્ય ભેદ પડતે હતો. સામાન્ય રીતે વિધમીઓમાં ધર્મ-સેવા અને નીતિને કાંઈ સંબંધ નહોતે. અતિ દુષ્ટ માણસ પણ ધાર્મિક ક્રિયા કરી શકો અને બક્ષીસ કે બળીદાનથી દેવને રીઝવવાનો પ્રયત્ન કરતે. પણ ખ્રિસ્તિ ધર્મ કહેતો કે હાથમાં દેવને માટે સેનાનું છત્ર હોય પણ પેટમાં પાપ હોય તે તેથી શું ફળ થવાનું હતું પરંતુ પૈસા આપીને પાપથી મુક્ત થવાની વિધમની ભાવના ધીમે ધીમે પાછી સજીવન થઈ અને મઠની સંસ્થાઓમાં