________________ કેસ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 353 બહુ બળવાન થઈ પડી. સખાવતમાં ખ્રિસ્તિઓ મશહુર હતા. અને તેથી “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” જેવા સિદ્ધાંતને સબળ ઉપદેશ ગુરૂઓ આપવા લાગે તો તેમાં નવાઈ નથી; અને લેભી અને અજ્ઞાની માણસે ઉપર આવી સ્વાર્થ ગણત્રીની અસર પ્રબળ થાય છે તેમાં પણ આશ્ચર્ય નથી. એવું કહેવાય છે કે ઈઝિયસ નામને એક માણસ ખ્રિસ્તિ તે થયે, પણ અહીં ધર્માદામાં ખરચેલાં નાણું ત્યાં મળતાં હશે કે કેમ? તેને એને બહુ શક રહેતો. તેથી સિનેશ્યસ નામના ધર્મગુરૂને ત્રણસેં સેના મહા ધર્માદા કરવા એણે આપી પણ તેની પહોંચ એણે લીધી, અને મુઆ પછી એ પહોંચ પોતાના હાથમાં મૂકવાની ભલામણ કરી તે મરી ગયો. ત્રણ દિવસ પછી સિનેસ્થસને સ્વપ્નમાં આવી એણે કહ્યું કે ઈશું ખ્રિસ્તે તેનું દેણું પતાવી દીધું છે, અને તેની પહોંચ એના મડદાના હાથમાં કબરમાં છે. કબરને ખોલી જોતાં પહોંચ મળી આવી અને ફારગતી પણ ભેગી હતી. લેકેની આવી લાગણથી મઠની સંસ્થાઓને પુષ્કળ વારસા મળવા લાગ્યા. વળી મઠની મિલ્કત ઉપર કર વિગેરેને બોજો નહોતો. તેથી મઠની મિક્ત વધી પડી. પણ તેની એક બીજી અસર પણ થઈ. કરના ભારે બજામાંથી મુક્ત રહેવા સાધુઓની સાથે ગોઠવણ કરી માણસે પિતાની મિલ્કત મને નામે ચડાવવાનું કપટ કરવા લાગ્યા. વળી સાધુઓ ગરીબોના સંરક્ષક ગણાતા હોવાથી ગરીબને આપવાને બદલે મઠમાં જ લેકે આપવા લાગ્યા. સંતનાં સ્મારક ચિહને કે ચમત્કારિક શકિતવાળી પવિત્ર પ્રતિકૃતિએ મઠમાં જ રહેતાં હોવાથી કેનાં ટોળે ટોળાં આવી ત્યાં સંતના આશ્રમમાં રહેતાં. માંદગી, ભય, શચ કે પશ્ચાતાપના સમયે મઠમાં નાણાં અપાતાં હતા અને બદલામાં સંતની કૃપાની વિરગત થતી હતી. અને મોટા મેટા ગુનાની માફી ભરતી વખતે મોટું દાન કે વારસો આપીને મરનાર ખરીદી લેતા હતા. આ વેહેમ એ વખતે પ્રચલિત હતે. એક મહાન ઇતિહાસકાર કહે છે કે ખ્રિસ્તિ ધર્મના પ્રાથમિક ઈતિહાસની ત્રણ સ્વતંત્ર અવસ્થા જોઈ શકાય છે. પ્રથમ અવસ્થામાં એ ધર્મ