________________ 348 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પણ જે હાથે કલમ ઝાલી હતી તે તે તેને તેવો જ રહ્યો હતો, ઈત્યાદિ અનેક કથાઓ સાહિત્યમાં હિંમતથી અને વિશુદ્ધિથી જીવન ગાળતા મનુષ્યની ગણના ધર્મ-વીરમાં થતી. પરંતુ આવી વાતોથી આપણે ભૂલાવામાં પડવાનું નથી, કેમકે કેથલિક સંપ્રદાયને સર્વોપરી કાળ મનુષ્યની બુદ્ધિના ઈતિહાસમાં એકંદરે ઘણો જ ખેદનીય નીવડે છે. ઉપયોગી અને ઉન્નતિપ્રેરક અભ્યાસ કઈ કરતું નહિ, અને ખ્રિસ્તિ આલમની સઘળી શક્તિ ધાર્મિક વિષયની ઉહાપોહમાં જ ખચાતી હતી. કેથોલિક સંસ્થા જે કહે તે સચોટ ગણતું હતું, તેથી વહેમનાં ઝુંડ ઉભાં થયાં અને તે મુંડ જ્ઞાનના માર્ગમાં અંતરાય રૂપ થયાં. કોઈ હિંમતથી તપાસમાં પ્રવૃત્ત થતું તે તેના ઉપર જાદુ અને પાખંડના તોહોમત આવતાં હતાં. કેવળ અંધશ્રદ્ધામાં જ સર્વોત્તમ સદાચાર ગણત હતો; અને શંકા કે પ્રશ્ન કરવાની ટેવ, નિષ્પક્ષ અભિપ્રાય બાંધવા માટે વિચાર કે વિલંબ કરવાની પ્રકૃતિ, વિવાદના વિષયમાં બન્ને પક્ષનું સાંભળવાની ઈચ્છા અને અવિવેકી પૂર્વ-વલણમાંથી બુદ્ધિને મુક્ત રાખવાની વાત, પાપ રૂપ ગણતાં હતાં. શંકા અને ભૂલને પાપ ગણવાની માન્યતા સાર્વત્રિક થઈ ગઈ, અને આ વેહેમ ઘણોજ અનિષ્ટકારક નીવડ્યો છે એમાં કોઈ શક નથી. હકીકતની ભૂલ તપાસથી સુધરે છે; શોધખોળની પદ્ધતિ ઓની ભૂલ પણ ધીમે ધીમે ફેરવી શકાય છે; પણ મનની જે વૃત્તિ તપાસ ને પાપ રૂપ ગણી તેનાથી હીને નાસતા ફરે અને શંકાની અવસ્થાને ગુનાની અવસ્થા ગણે તે માણસના મનને જબરો રોગ છે અને લાંબા કાળ પર્યત ખસે નહિ એ હોય છે. આ પ્રમાણે યુરેપની બુદ્ધિમાં એક મોટો રોગ પેઠો; અને જ્યારે કેળવણીની વાત માના હાથમાંથી વિશ્વવિદ્યાલયના હાથમાં ગઈ, જ્યારે મુસલમાની વિજ્ઞાન શાસ્ત્રોને પ્રચાર થયો, અને જ્યારે બુદ્ધિ-સ્વાતંત્ર્ય અને ઔદ્યોગિક કાળની સ્વતંત્રતા આવી, ત્યારે જ ધર્મની ધજા હેઠે પડી અને યુરોપની બુદ્ધિ નિરોગી થઈ પાછી સજીવનતા પામી.