________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 347 છતાં તે કાળના સાહિત્ય જીવનમાં કેટલાંક સૌંદર્ય પણ હતાં. અને ચીન સમયના લેખકના જીવનમાં જે ચીડીઆપણું, ઉતાવળ, અતિપરિશ્રમ, ઘણુંખરાં ઉચ્ચ જીવનને નિરાશ કરતી ઘણી જાતની ચિંતાઓ અને તેમના જીવનને ભ્રષ્ટ કરતી કીર્તિની ઉશ્કેરાએલી લાલસા, જોવામાં આવે છે, તેમાંથી કાંઈ તે સમયે લેખકોના જીવનમાં નહતું. વ્યાકરણના પ્રવૃત્તિમય જીવનની ચિંતાઓથી રહિત થઈ મઠમાં શાંતિથી સાધુઓ અભ્યાસ કરતા અને લખતા હતા, નિશંક મને ધર્મને અર્થ જ પિતાનું જીવન તેઓ ગાળતા હતા. વિશ્વના પ્રશ્નનું નિરાકરણ તેમના મનને થએલું લાગતું હતું, કીર્તિની ઈચ્છા તેમને બિલકુલ નહોતી; માત્ર પાપ-મોચનના તેઓ ઈતિજાર હતા, અને અન્ય દુનિયામાં સારા બદલાની આશા રાખતા હતા. સાહિત્ય અને ધર્મ વચ્ચે કે સંપ હતો તે દર્શાવનારી અનેક દંતકથાઓ છે. એંગ્લ સેક્ષન પ્રજાનો પ્રથમ મેટામાં મોટો કવિ સીડમન થઈ ગયું છે. તેને માલમ પડયું કે વ્યાવહારિક જીવનનું ગાન કરવા તેની શકિત કામમાં આવતી નહોતી. પણ સ્વપ્નમાં કોઈ આકતિએ એને “સૃષ્ટિની ઉત્પત્તિ’ ગાવાનું કહ્યું ત્યારે તેની કવિત્વ શક્તિ ખીલી નીકળી અને પછી તે મોટો કવિ થઈ પડ્યો. એક પાદરી ઘણોજ દુરાચારી હતી અને તેણે અસંખ્ય પાપ કર્યા હતાં, પણ ધર્મનું એક મોટું પુસ્તક તેણે લખ્યું હતું અને તેના અક્ષરો તેના પાપ કરતાં સંખ્યામાં સહેજ વધી જવાથી નરકમાં જતો એ બચી ગયો. સ્પેનમાં એક છોકરે ભણવાથી કંટાળી બાપને ઘેરથી નાસી ગયે, અને રખડતાં રખડતાં એક યુવાને કાંઠે જઈને બેઠે, કુવા ઉપર પાણીમાં તેણે ઉંડા લીસોટા જોયા. એક છે કરી પાણી ભરતી હતી તેને એણે એ બાબતને ખુલાસે પૂ. છોકરીએ કહ્યું કે વારંવાર દોર ઘસાવાથી એ છેદ પડ્યા છે. છોકરે વિચાર કર્યો કે જ્યારે નરમ દોરડાથી કઠણ પાણે પણ ઘસાઈ જાય છે, ત્યારે લાંબી ખંતથી તેની બુદ્ધિની જડતા પણ બેશક જતી રહે જ. આ વિચારથી એને પસ્તાવો થયો, પાછો ઘેર ગયો અને ભણવામાં પ્રવૃત્ત થયો. અને મોટો સંત એ થઈ પડે. એક સંતના મુઆ પછી વશ વર્ષે તેની કબર ખોલી તે તેનું આખું શરીર ખવાઈ ગયું હતું