________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 345 બતાવતા હતા. આમ અનેક રીતે તેઓ બીજાની તીવ્ર ઈર્ષ્યા કરતા હતા. આવા ખ્રિસ્તિઓમાં સાર્વત્રિક ભ્રાતૃભાવની વાત જ ક્યાં રહી ? પરંતુ પશ્ચિમના મઠો જ્યારે બુદ્ધિવિષયક કર્તવ્યો બજાવવા લાગ્યા, ત્યારે કેથેલિક ધર્મની સર્વોપરી સત્તા લગભગ સ્થાપિત થઈ ગઈ હતી અને વિવાદાત્મક ઉત્સાહ કમી થવા લાગ્યું હતું. તેથી સાહિત્યમાં એ સંસ્થાએ અન્ય રૂપ ધારણ કરવા માંડયું, પણ તેમના બધા ગ્રંથમાં મઠ સંસ્થાના જુસ્સાની પ્રબળ છાંટ હતી. તોપણ સાહિત્યના ક્ષેત્રમાં એ સંસ્થાએ પોતાનાં કર્તવ્યો કેવી રીતે બજાવ્યાં તે આપણે જોઇએ. પ્રથમ તે વિધર્મી લેખકોના ગ્રંથે મઠની સંસ્થાએ જાળવી રાખ્યા એ કામ તેમણે અગત્યનું કર્યું છે. આ ગ્રંથ પરત્વે શરૂઆતના ધર્મગુરૂઓમાં મતભેદ હતો એ વાત આગળ અમે જણાવી છે. કેટલાક કહેતા કે એ ગ્રંથમાં કાંઈ સારૂજ નથી. અને તેમના પ્રત્યે તિરસ્કારની દષ્ટિ રાખતા હતા. કેટલાક કહેતા કે એ થે એવા સારા છે કે તેમણે યહુદી ગ્રંથેમાંથી ચોરી કરી હોય એમ જણાય છે અને કેટલાક ગ્રંથોમાં દૈવી પ્રેરણા પણ જણાય છે. પરંતુ આ બને છેક વિરોધી અભિપ્રાયને તજી દઈને, પાશ્ચાત્ય ખ્રિસ્તિ સંસ્થાની વ્યવસ્થા કરનાર સંત ઓગસ્ટાઈને તેમની યોગ્ય કિંમત આંકવા માંડી હતી. તેથી તે ગ્રંથને માન અપાવા લાગ્યું અને તેમને અભ્યાસ થવા લાગ્યો; અને અનેક કારણોને લીધે આ દિશામાં પ્રવૃત્તિ વધવા લાગી. તેથી કરીને ધર્મગુરૂઓનાં ધાર્મિક વલણ પણ ફરવા લાગ્યાં. એક ધર્મગુરૂએ તે જાહેરમાં કહ્યું કે “દેહના પુનરૂત્થાન’ને ખ્રિસ્તિ સિદ્ધાંત તે માનતો જ નહોતે, પણ જીવના પૂર્વ અસ્તિત્વના પ્લેટને સિદ્ધાંત તે દઢ રીતે માનતા હતા. ખ્રિસ્તિ ધર્મને જે સિદ્ધાંત સંસ્થાના આગેવાનોને પણ આવી સ્વતંત્રતા આપતા હતા, તે જો ચાલુ રહ્યો હોત તો ખ્રિસ્તિ ધર્મને ઈતિહાસ ઘણો બદલાઈ જાત. પરંતુ રોમમાં પ્રત્યાઘાતને પવન ઉત્પન્ન થયું. નિરાસક મેલને સિદ્ધાંત પાછો મનાવા લાગે; ધર્મનું અડગ અને સજજડ સ્વરૂપ બાંધવાને પ્રયત્ન થયો; બુદ્ધિમાન સંત ગ્રેગરી આ હીલચાલને નેતા થયે; અને રાજ્યવ્યવસ્થા અને ધર્મમાં પાશ્ચાત્ય