________________ ૩૪ર. યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બીજી વાત એ છે કે ભ્રષ્ટ સ્વભાવના અજ્ઞાત વલણથી પણ બુદ્ધિની ભૂલ થાય છે. અમુક પ્રકારનું નૈતિક વલણ માણસનું જ્યારે બંધાઈ જાય છે, ત્યારે તેની સાથે અમુક જાતનાં બુદ્ધિના વલણે પણ તેનામાં આવે છે. અને પછી સત્ય શોધવાની તેની ઈચ્છા ગમે તેવી પ્રબળ હોય તે પણ પિતાના માનસિક વલણથી દોરાઈ ગયા વિના તે રહેતું નથી. અમુક માણસને સ્વભાવ કે વલણ જે આપણે જાણીએ, તે તેના ઘણુંખરા અભિપ્રાયોની આગાહી આપણે કરી શકીએ છીએ. રાજકીય બાબતમાં, રસજ્ઞતાના નિયમમાં, નીતિના સિદ્ધાંતમાં, તે માણસનું સ્વાભાવિક વલણ કેવું હશે ને આપણે કહી શકીએ છીએ. જે તે માણસ સખત, બહાદુર અને મગ રૂર સ્વભાવને હશે તે રવાભાવિક રીતે જ નીતિના જે નમુનામાં આ ગુણેને પ્રધાન પદ મળતું હશે તેના તરફ એ વળી જશે અને જે તે ગરમ સ્વભાવને હશે તો જ્યાં કોમળ સદાચારને અગ્રસ્થાન મળતું હશે ત્યાં કુદરતી રીતે જ એ ઢળી પડશે. અમુક પ્રકારના ગુરૂત્વાકર્ષણથી રાતે તે માણસ પોતાના સ્વભાવને અનુકૂળ વ્યવસ્થામાં અજાણતાં પણ વ જશે અને બુદ્ધિ વિષયક મુશ્કેલીઓથી એમ કરતાં તે કવચિત્ જ અટકશે. તેથી કરીને ધર્મ, નીતિ કે રાજકીય બાબતમાં માણસના નિશ્ચિત અભિપ્રાય જ્યારે બંધાઈ જાય છે ત્યારે તેને સ્વભાવ બદલાયા વિના ને વિચારો કવચિત જ બદલાય છે. એ જ પ્રમાણે દુરાચારી અને ભ્રષ્ટ સ્વભાવને માણસ, અથવા સખત, સાંકડા વિચારને અને બીજાના દુઃખે દુઃખી નહિ થનારે માણસ સ્વાભાવિક રીતે જ જનસ્વભાવને અભિપ્રાય પણ એ જ બાંધશે. જેણે ઉંચી પ્રતિની ભાવનાઓ કદિ અનુભવી નથી તેને બીજાની તેવી જ ભાવનાઓ ભાગ્યે જ સમજાશે. જે સાહિત્યથી બુદ્ધિ ચણતર ચણે છે. તે ઘણીવાર હૃદયમાંથી મળેલાં હોય છે. અને તેથી કરીને બુદ્ધિના ભૂલભરેલા નિશ્રયના મૂળમાં ઘણીવાર નૈતિક રોગ રહેલે હોય છે. - હવે આ બે સમાંથી ભૂલને પાપ ગણવાના ધાર્મિક વિચારની રચનામાં પ્રથમ સત્ય કારણભૂત થયું હોય એમ કહી શકાતું નથી. મનની વિવેચક શકિતઓને દઢ કરવાના ઉદ્દેશે મનને સૂક્ષ્મ રીતે કેળવવું એ વાતમાં