________________ 340 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ' હતી. તેથી ખ્રિસ્તિઓને અન્ય ધર્મો ઉપર પ્રહાર કરવાની તક મળતી. ખ્રિસ્તિ ધર્મ ત્વરાથી ફેલાય તેનું આ પણ એક મુખ્ય કારણ થયું છે. વળી મેટા અને વધતા જતા ભોળપણના તે સમયમાં ખ્રિસ્તિ ગુરૂઓ ખાત્રી પૂર્વક કહેતા કે વગર અને માનવામાં, વગર શરતે અને સંપૂર્ણ શ્રદ્ધામાં જ મનુષ્યનું કર્તવ્ય છે તેથી કરીને ભ્રાંતિ અને શંકા બને ગુનારૂપ છે એ વિચાર ત્વરાથી ઉપસ્થિત થયો, ધર્મના સિદ્ધાંત તરીકે તુરત જ તે મનાવા લાગે, અને પછી એ સિદ્ધાંત ઉપર જ એ ધર્મને આખો વ્યવવહાર અને પ્રવાહ ચાલવા લાગ્યો. હવે આ સિદ્ધાંતના મૂળમાં જ કેવી જાતની ભૂલ રહેલી છે તેને વિચાર આપણે અત્રે કરીએ તે તે અપ્રાસંગિક નહિ જ ગણાય. હવે, બુદ્ધિના કેવળ સ્વતંત્ર અને નિરાળા નિશ્ચયમાં નીતિ અનીતિને પ્રશ્ન આવી શકતો નથી. તેથી કેવળ બુદ્ધિની ભૂલને પાપ કહેવું એ અવાજને અમુક રંગનો છે એમ કહ્યા જેવું છે. જે કોઈ માણસ શુદ્ધ બુદ્ધિથી એમ માનતા હોય કે બે સમાંતર સીધી લીટીઓ આગળ જતાં મળી શકે છે, અથવા બે લીટીઓને ત્રિકોણ બની શકે છે, તે આપણે તેને ગાંડે કે બેવકુફ જ કહેશું પણ કોઈપણ રીતે તે દુરાચારી છે એમ આપણાથી કહી શકાશે નહિ. ઈતિહાસની તકરારી બાબતમાં પણ જો કોઈ માણસ સામસામા પક્ષની દલીલની યથાર્થ તુલ્યના કરી શકતા ન હોય તો તે માત્ર બુદ્ધિ વિષયક જ ભૂલ છે અને તેથી તેમાં પાપ નથી; એટલું જ કે તે માણસે તેમાં પ્રમાણિકપણે તપાસ કરેલી હેવી જોઈએ. એણે બાંધેલા મતને લીધે દુષ્ટતાને અટકાયતરૂપ થતે પ્રતિબંધ કવચિત નિર્બળ થતાં તેમાંથી દુષ્ટ પરિણામ આવે એવું પણ બને, પણ પ્રમાણિકપણે અને શુદ્ધ બુદ્ધિથી કેવળ બુદ્ધિના પ્રદેશમાં જે કાંઈ ભૂલચૂક થાય તેમાં પાપ નથી. પિલિસને કોઈ ઉપરી શુદ્ધ બુદ્ધિથી એમ માને કે દશ માણસ લૂટારાને પરાજ્ય કરવા પૂરતાં છે; પરંતુ પાછળથી તેને માલમ પડયું કે વીશ માણસ હોત તે ઠીક; અને દરમ્યાન લૂટારા લૂંટ કરી છટકી ગયા. અહીં પરીણામ બુરું આવ્યું, પણ તે ઉપરી નીતિભ્રષ્ટ થયું છે એમ કહી શકાય નહિ. જૂદા જૂદા દેશના કે પ્રજાના