________________ - કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 338 નિંદે, અથવા તે વિશુદ્ધ શેધકના પ્રમાણિક નિગમનને પાપી કહે, તે તે સંસ્થા બુદ્ધિવિષયક પ્રમાણિકતાની ઉધી વાળનારી થાય છે. પ્રાચીન કાળમાં જે કે શેધની પદ્ધતિઓ ઘણીવાર બહુ ભૂલ ભરેલી હતી. અને તેમનાં અનુમાને ઉતાવળી થતાં; પરંતુ સત્ય શોધક વૃત્તિને તે કાળના લોકો ડહાપણું ભરેલી રીતે માન આપતા હતા. કેટલીક ધાર્મિક ક્રિયાઓ રાજ ભક્તિનાં ચિ ગણાતી હતી અથવા રાજ્યના હિતમાં દેવને અનુકૂળ કરવા આવશ્યક મનાતી હતી; આ ધર્મક્રિયાઓ કાયદાથી પળાવવામાં આવતી હતી. વળી તત્ત્વજ્ઞાનના થોડાક સિદ્ધાંત કે જેને લીધે અનીતિનું આચરણ થઈ શકતું હતું અથવા સમાજમાં જે #ભ ઉપજાવે એવાં હતાં તેમને રાજ્યસત્તાથી દાબી દેવામાં આવતા હતા. પરંતુ સામાન્ય નિયમ તરીકે, સ્વતંત્ર વિચાર ઉપર કેઈપણ જતનો અંકુશ નહોત; બ્રાંતિજનક અભિપ્રાયોમાં અવશ્ય પાપ રહેલું છે એવા વિચારથી લેકે અજ્ઞાન હતા, અને હિંમતથી પ્રશ્ન ઉઠાવનારાઓને લેકે વખાણુતા અને માન આપતા હતા. તેમને ધાર્મિક મત પણ આ બાબતમાં અનુકૂળ હતા. તેમના અનેક દેવવાદમાં દૂષણો ઘણા છતાં ત્રણ મટા ગુણે તેમાં હતા. દેવોનાં કલ્પનામય, સુંદર ચિત્ર, સ્વદેશાભિમાન અને એક બીજાની મત-ભિન્નતા પ્રત્યે ક્ષમા વૃત્તિ, આ ત્રણ વાતેથી તે ભરપૂર હતિ. રેમના રાજ્યમાં અનેક પ્રજાઓ એકઠી થઈ હતી; છતાં ગ્રીસના કરતાં પણ તેમાં બુદ્ધિ-સ્વાતંત્ર્ય વધારે હતું; જુદી જુદી જાતનાં તત્વજ્ઞાન અને માન્યતાઓ કઈ પણ જાતની હરક્ત પામ્યા વિના પિતાને ઉપદેશ આપતાં; સત્યની શેધ સદાચારનું એક અતિ અગત્યનું તત્વ ગણાતું અને લેક-માન્યતાઓની દરેક વાત ઉપર છણી છણીને ટીકા કરવામાં આવતી હતી. પરંતુ ખ્રિસ્તિધર્મમાં વિચાર-સ્વાતંત્ર્યની બિલકૂલ છૂટ નહોતી. ખ્રિસ્તિ ધર્મગુરૂઓ કહેતા કે જે અમારા ધર્મમાં કેવળ શ્રદ્ધા રાખે તેને જ મેક્ષ થાય છે. વિધર્મીઓના ધર્મમાં પ્રશ્ન પૂછવાની અને શંકા કરવાની છૂટ