________________ 338 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, ગુણ ખાસ કેળવાઈ વિકાસ પામે છે તેનાં કારણે નીચે પ્રમાણે આપી શકાય છે; મઠની સંસ્થાઓ અને ટેને નિર્મૂળ કરવામાં આવી; ભિક્ષાવૃત્તિ કે જેને સારી કહી કેથલિક સંપ્રદાય ઉત્તેજતે હો તેને પ્રોટેસ્ટંટ મત નામશી ભરેલી ગણવા લાગે; દરેક માણસને પોતાના વિચારની, છૂટ છે અને દરેક માણસ પિતાના કૃત્યોને માટે જવાબદાર છે એવી માન્યતાને ટેસ્ટંટ મત ઉચ્ચ સ્થાન આપવા લાગે; અને ધર્મ સુધારણાના સિદ્ધાંતને અનુસરી ઉત્પન્ન થએલી અને દઢ બનેલી રાજકીય આત્મગૌરવની પ્રતિષ્ઠા ઘણું વધી પડી છે. હે મા-સંસ્થાઓને બુદ્ધિ વિષયક સદાચાર સાથે શો સંબંધ છે તે આપણે જોઈએ અને આ વાત બરાબર સમજવા માટે પ્રિસ્તિ સંસ્થાની પ્રાથમિક દશાનું કાંઈક દિગ્દર્શન કરી જવું આવશ્યક છે. પ્રથમ તે અત્ર એટલું કહેવું જોઈએ કે “બુદ્ધિ વિષયક સદાચાર' એ પદ ઘણીવાર લાક્ષ ણિક અર્થમાં વપરાય છે પણ કેવળ શક્યાર્થથી પણ તે પદ સમજી શકાય છે. જે સત્યની પ્રમાણિક અને ચંચળ ઈચ્છાને નૈતિક કર્તવ્ય માનવામાં આવે તે સત્યની દરેક પ્રમાણિક શૈધને માટે વ્યવસ્થાપૂર્વક જે કેળવણી અને સ્વભાવનાં વલણની આવશ્યકતા છે તે બધાને નીતિના વર્તુળમાં સમાવેશ થઈ જાય છે. અંતઃકરણથી સત્યને ચાહવું એટલે એને અર્થ એમ કે શુદ્ધ બુદ્ધિથી, ઉત્સાહપૂર્વક, કાયર થયા વિના તેને માટે પ્રવૃત્તિ ર્યા કરવી. અર્થાત્ પૂરાવાના પ્રકાશથી ગમે તેવા અપ્રિય અનુમાને નીકળતાં હોય તે તે પણ કાઢવાં; રાગદ્વેષ અને વ્યક્તિ ગત ઈચ્છાની વાતને વચમાં આવવા દેવી નહિ, અને પૂરાવા ઉપરથી જ જે સિદ્ધ થાય તે માનવું; અને ચિત્તમાં કોઈપણ જાતને વિક્ષોભ કે સંભ્રમ ન થાય અને સુસ્થિત બની ચિત્ત શાંતિ અનુભવે એમ કરવું. આમ કરવું ઘણું મુશ્કેલ અને દુખ એ વાત ખરી, પરંતુ સત્યના ખરેખર પ્રેમમાં એ બધું અંતર્ગત છે એ વાત સ્પષ્ટ છે તેથી કરીને જે સંસ્થા શંકાની કોઈ પણ અવસ્થાને ગુનારૂપ ગણી દેષિત ઠરાવે, અમુક જાતની દલીલ કે હકીકતની તપાસને ખરાબ કહી