________________ 310 યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. દુઃખનાં પૂર દુનિયામાં પથરાઈ ગયાં; પણ છતાં આવી આવી બાબતમાં ખ્રિસ્તિ વૃદ્ધોની સખત ટીકા ઓછી થાય નહિ. સંત અંબ્રોઝ, સંત જે રેમ ઇત્યાદિ અનેક સંતોએ ખોટા વાળની વિરૂદ્ધ વિગ્રહ જેસભેર ચાલુ રાખ્યો હતો. પરંતુ ખ્રિસ્તિ વૃદ્ધો આવી નજીવી બાબતોની સર ટીકા કરતા હતા તે ઉપરથી એમ જણાય છે કે તે સમયના સમાજમાં ગંભીર પ્રકારના દુરાચાર થતા નહિ–એવું અનુમાન જે કોઈ બાંધે તે તે અનુમાન પણ કેવળ ખોટું જ છે. ખરું કહીએ તે એ સમયના જેવો ભ્રષ્ટ બીજે કઈ સમાજ ભાગ્યે જ હશે એ વાત અનેક લેખોથી સિદ્ધ થાય છે. અતિ પવિત્ર જણાતી સંસ્થાઓ અને વર્ગોમાં પણ ભ્રષ્ટતા પેસી ગઈ હતી. ખ્રિસ્તિઓના પવિત્ર ગણાતા પ્રેમોત્સવમાં પુષ્કળ દારૂ પીવાત અને તોફાન થતાં. ખ્રિસ્તિ વૃદ્ધો એવા પ્રેત્સવને વખોડતા; ચોથા સૈકામાં લેડિશીયાની ધર્મસભાએ તેમને ગુનાહિત ગણ્યા હતા; પાછળથી કાજની ધર્મસભાએ પણ તેમ જ કર્યું હતું; છતાં કલંકરૂપે અને ગુનારૂપે પણ તે ચાલુ રહ્યા હતા. અને સાતમા સૈકાની આખરે ટુલેની ધર્મ સભાએ તેમને અંતે દાબી દીધા હતા. ધર્મ વીરોના માનમાં થતા મેળામાં પણ અનાચાર વધી પડે હો. સ્ત્રીઓ ખુલ્લી રીતે પિતાના પતિને ભંગ કરતી, અને તેમાં થતા દુરાચારને લીધે વાર્ષિક મેળે બંધ કરે પડતે હતે. લગ્નના સંબંધમાં પાદરીઓની અસ્પષ્ટ સ્થિતિને લીધે પણ ગંભીર પ્રકારની ગેરવ્યવસ્થા થઈ પડી હતી. સંત સાઈપ્રિયનના સમયમાં પાદરીઓ પરણતા નહિ, પણ અનેક બહાને પિતાની રખાતને ઘરમાં રાખવાનો રિવાજ સામાન્ય થઈ પડ્યું હતું, પરંતુ કેન્સ્ટનટાઈનના સમય પછી આ બાબતને પિકાર વધી પડયો હતો. કુમારિકા અને સાધુ ઘણી વખત સાથે એ ઘરમાં રહેતાં, અને કેટલીક વખત તે એક પથારીમાં સાથે સૂઈ બ્રહ્મચર્ય પાળ્યાનું કહેતા. તાલેવંત વિધવાઓના વારસ થવા માટે ખુશામતી આ પાદરીઓ ધર્મને બહાને તેમની અનેક પ્રકારે ખુશામત કરતા હતા. અને આબાદી એટલી બધી વધી ગઈ હતી કે પાદરીઓને અને સાધુઓને એવી