________________ કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 315 અને આકૃતિનાં અરૂચિકર લક્ષણે વિસ્મત થવા લાગ્યાં. લાંબી સફેદ દાઢીવાળે અને માયાળુ દેખાવવાળો, ખજૂરીના ઝાડ નીચે બેઠે બેઠે સાદડીઓ વણતે, જેને છળવાને પિશાચે તરેહ તરેહની વ્યર્થ યુક્તિઓ કરતા હતા એ, જેની હાજરીમાં જંગલી કૂર પ્રાણીઓ ગરીબ બની જતાં હતાં એ, અને જેના શબ્દ માત્રથી દરેક રોગ અને દરેક શોક નાશ પામતાં હતાં, એવો તે માણસ હતો એવી ગણના તેના વિષે લેકે કરવા લાગ્યા. આવા સ્વરૂપથી મેહિત થએલી ખ્રિસ્તિ દુનિયાની કલ્પનાએ તેના સંબંધમાં અનેક કથાઓ ઉપજાવી; અને તે કથાઓ બાલિશતાવાળી છતાં જન–સ્વભાવના સુંદર લક્ષણોથી ભરપૂર હતી, અને ઘણીવાર તેમાંથી ઉત્તમ પ્રતિને નૈતિક બેધ મળતો હત; અને તેથી મનુષ્યના આચરણનું સ્વરૂપ બહુ સારી રીતે બંધાતું હતું. એવી કથા છે કે સંત એન્ટનીને એક રીતે વિચાર આવ્યો કે જંગલમાં સૌથી ઉત્તમ માણસ તે પોતે હતે. તેવામાં એને પ્રેરણા થઈ કે તેના કરતાં પણ વધારે પવિત્ર સાધુ તે જંગલમાં રહેતો હતો. આ અજાણ્યા સંતને મળવા સવારના પહોરમાં જંગલમાં એ નીકળી પડ્યો. ચાલતાં ચાલતાં એક અર્ધ-ઘડે અને અર્ધ-માણસ એવા પ્રાણીને તે મળ્યો અને પછી તેને એક નાનો માણસ મળે, જેને શીંગડાં હતાં અને બકરાના પગ હતા. આ માણસે એને કહ્યું કે તે જંગલી પ્રાણીઓને અધિષ્ઠાતા વન–દેવ હતા. આ બન્નેએ સંતને રસ્તો બતાવ્યો અને તેથી પિતે આવવાની જગાએ પહોંચ્યો. સંત પોલ કે જેની મઢીના બારણે આવીને તે ઉભો રહ્યો હતે તે એકસે અને તેર વર્ષની ઉમરનો હતે; અને લાંબા વખતથી કેવળ એકાંતમાં જ રહેતો હોવાથી પ્રથમ તે સંત એન્ટનીને મને થવાની એણે ના પાડી, પણ છેવટે મળવાનું કબુલ કર્યું અને બન્ને ભેટયા, અને પછી જે દુનિયા સંત એન્ટની છોડીને આવ્યો હતો તે બાબત જીજ્ઞાસાપૂર્વક ઝીણા ઝીણા પ્રશ્ન તે એને પૂછવા લાગ્યો. “શેહેરેમાં નવાં મકાને બહુ બંધાતાં હતાં કે કેમ? કયા રાજ્યની સત્તા ચાલતી હતી ? મૂર્તિપૂજકે હવે રહ્યા હતા કે કેમ ?" આવી વાતો બને જાણ કરતા હતા, દરમ્યાન એક કાગડો એક આખો ટલે ત્યાં લઈ આવ્યું. સંત પાલેકે