________________ 314 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, શુદ્ધ સુવર્ણ જેવી નૈતિક શ્રેષ્ઠતાને માટે ખરેખર આત્મભોગ અને આત્મ-ત્યાગ આવશ્યક છે. માંડવાળ, મધ્યમતા, કાંઈક હું મૂકું અને કાંઈક તું મૂક એ આમનેસામન સ્વાર્થત્યાગ, નમ્રતા, વિનય, અને સુધરલી ટેવો કે જે વિલાસજનક અને જનહિતકારી સુધારાઓને બંધબેસતી આવે છે તે ઘણુ ગણ ગુણોને વિકાસ કરવામાં બહુ અનુકૂળ આવે છે. પરંતુ મનુષ્યના સ્વભાવમાં તેથી પણ ઉચ્ચતર અને વધારે ઉન્નત આકાંક્ષાઓ રહેલી હોય છે અને તેમની તૃપ્તિને માટે જુદી જ જાતને પ્રદેશ જોઇએ છીએ. વળી માણસોને અતિ ઉત્તમ ઉદેશોથી તે પરિચિત કરે છે અને મનુષ્ય જાત ઉપર ઘણી જ મેહક અસર તે ઉપજાવે છે. સન્યાસી સાધુઓનું દષ્ટિબિંદુ અવળું અને અપૂણ હતું, અધ્યાત્મિક સ્વાર્થના અંશથી તે ભ્રષ્ટ હતું. તથાપિ તેમાં અડગ આસ્થા રાખીને હજારો જણાએ જે વસ્તુઓને માણસો વહાલામાં વહાલી ગણે છે તેમને રાજીખુશીથી તજી દીધી છે, બેગ વૈભવને તરછોડી નાખ્યા છે અને કેવળ આત્મ-ત્યાગને જ પિતાના જીવનનું કાવ્ય ગયું છે. આવા દાખલાઓની અસર દુનિયા ઉપર થયા વિના કેમ રહે ? જે વખતે વધતી જતી દોલતની ખ્રિસ્તિ સંસ્થાને ગંભીર પ્રકારને ચેપ લાગ્યું હતું તે વખતે તેઓ એશઆરામ કરતાં મહેનત અને કીર્તિ કરતાં અપકીર્તિને વધારે ચાહવાનો, અને લેવા કરતાં દેવામાં વધારે આનંદ માનવા, ઉપદેશ કરતા હતા. જે વખતે ધર્મ-સંસ્થામાં ઉંચી અમલદારી મેળવવા કંઈ કંદ કાવાદાવા થતા હતા, ત્યારે તે અમલદારી તેઓ ખાસ કરીને લેતા નહિ અને પિતાની વિચિત્ર પણ સખત ભાષામાં ઉપદેશ આપતા કે સાધુએ ખાસ કરીને બે વર્ગોથી દૂર રહેવાનું છે- ધર્માધ્યક્ષ અને સ્ત્રીઓ, તેમની વિચિત્ર આકૃતિ અને ભયંકર દેહ-દમન વિગેરે વિલક્ષણતાને લીધે જ તેમના તરફ અણઘડ હૃદયો પ્રથમ આકષોતાં હતાં, અને પછી દયા અને આત્મ-ત્યાગ જે તેમના જીવનના ઉંચા પ્રકારના સગુણ હતા તેમના ઉપર એ આકર્ષણ ધીમેધીમે ચોંટતું હતું. સંત મિમિયન સ્ટાઇલાઇટસને જોઈને હજારો જંગલીઓ ખ્રિસ્તિ થઈ ગયા હતા. સાધુનું સ્વરૂપ પણ લોકોની કલ્પનાએ તુરત સુંદર બાંધી લીધું. તેની જીંદગીનાં