________________ 318 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ કહ્યું: “મહારાજ, મને ક્ષમા કરો; સાધુ થયા પછી મેં માંસ કદિ ખાધું નથી.” સંત એપિફેનિયસે કહ્યું. “અને જ્યારથી હું સાધુ થયો છું ત્યારથી આખો દિવસ ગુસ્સામાં મેં કદિ કાઢયો નથી.” સંત હિલેરિયસે પ્રત્યુત્તર વાઃ “તમારે નિયમ મારા કરતાં વધારે ઉત્તમ છે.” એક ધનવાન સ્ત્રી એક સાધુની આગતાસ્વાગતા કરતી હતી, તેવામાં તેનું બાળક કૂવામાં પડી ગયું; પણ તે બાળકને કાંઈ ઇજા થઈ નહિ અને પાણીની સપાટી ઉપર પડી રહ્યું. પાછળથી તે બાળક એની માને કહેવા લાગ્યું કે સંતના હાથથી તે ઝીલાઈ રહ્યું હતું. જે સમયે પરણેતર જીદગીની પવિત્રતા બિલ . કુલ સ્વીકારવામાં આવતી હતી તે અરસામાં ઈજીપ્તના સંત મેકેરિયસને પ્રેરણું થઈ કે પાડોશના શહેરમાં બે પરણેલી સ્ત્રીઓ તેના કરતાં પણ વધારે પવિત્ર હતી. તુરત જ સંત તેમની મુલાકાતે ગયો અને તેમની રહેણું કરણ વિષે તેમને પૂછવા લાગે. સ્ત્રીઓએ કહ્યું કે તેઓ પવિત્ર નહોતી અને વાત બની પણ શકે નહિ, કારણ કે રોજ તેમના ધણીઓની સાથે જ તેઓ રહેતી હતી. સંતના આગ્રહથી છેવટે પિતાનું વૃત્તાંત તેમણે આ પ્રમાણે આપ્યું. “અમે બે જણીઓ સગી નથી, પણ બે ભાઈઓને અમે પરણેલી છીએ. અમે પંદર વર્ષથી સાથે રહીએ છીએ; પણ અમારા મોઢા. માંથી એક પણ અપશબ્દ કે, ક્રોધને અવાજ નીકળ્યો નથી, અમારે કુંવારા રહેવાની અને સાધ્વી થવાની ઘણી ઈચ્છા હતી અને અમારા ધણીઓને અમે ઘણી વિનવણી કરી, પણ અમને સાધ્વી થવાની પરવાનગી એમણે આપી નહિ. અને પછી ઈશ્વરને સમક્ષ રાખી અમે વચન આપ્યાં કે કઈ પણ સાંસારિક અપશબ્દથી અમારાં મુખ અને ભ્રષ્ટ કરશું નહિ.” સંત બોલી ઉઠશેઃ “હવે મને સત્ય સમજાણું. માણસે પરણેલાં હોય કે કુંવારાં હોય, મડમાં હોય કે સંસારમાં હોય, પણ તે કશાની ઈશ્વરને દર કાર નથી. ઈશ્વર તે માત્ર હૃદયના ભાવને જ ભૂખ્યો છે; અને ગમે તે સ્થિતિમાં હોય, પણ એની સેવા કરવાની જે ઈચ્છા રાખે છે તેને ઇશ્વર પ્રાપ્ત થાય છે.” આવી દંતકથાઓ લાંબા વખત સુધી લેકેને નીતિમાં આદર્શરૂપ