________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 323 નિરર્થક ગણું કાંઈક ઉપહાસપૂર્વક એવા વિચારોને એક કારે તેઓ મૂકી દેતા હતા. જે માણસો વ્યાવહારિક જીવનમાં ઘણા પ્રવૃત્ત રહે છે તેમનામાં પ્રાણીઓની લાગણીઓ પ્રત્યે સુઘડ અને સૂક્ષ્મદર્શી સમચિતતા કવચિત જ જેવામાં આવે છે; અને રોગીષ્ટ અને નિરંતર અફસ કરતા જેકસના મુખમાં ઘાયલ થએલા હરણના દુઃખને ચિતાર શેકસપીચર મૂકે છે તે પણ અર્થ રહિત કે કારણ રહિત નથી. પરંતુ જે કે “પ્રાણીઓના હક " ને ખ્રિસ્તિ નીતિમાં સ્થાન નહોતું મળ્યું, તથાપિ સંતજીવનના કેટલાક પ્રસંગેથી આ બાબતમાં કાંઈક આડકતરી રીતે ઉત્તેજન મળતું હતું પૂર્વના ઉજડ જંગલમાં અથવા યુરેપનાં વિશાળ વનમાં રહેતા સંતો પ્રાણીઓના નિકટ સમાગમમાં આવે એ સ્વાભાવિક છે; અને સંતનું જીવન આલેખવામાં લેકેની કલ્પના તે સંબંધી આકર્ષક અને હદયદ્રાવક ઘણી કથાઓ કહે તે પણ વાસ્તવિક છે. એવું કહેવા તું કે સંતના સાદથી ઉડતાં પક્ષીઓ નીચે આવતાં; સિંહાદિ વિક્રાળ પ્રાણીઓ તેના પગ આગળ બેસી તેને અધીન વર્તતા; અને આ પ્રાણીઓ કે જે તેમના એકાંતવાસના સેબતીઓ અને તેમના ચમત્કારના વિધેય હતાં તેમનામાં તેમની પવિત્રતાને કાંઈક અંશ પણ ઉતરી આવો. સંત થિયોન જ્યારે બહાર જતા ત્યારે જંગલી પ્રાણીઓ તેને વળાવું કરતાં હતાં અને સંત પિતાના કુવામાંથી તેમને પાણી પાઈને તેમની નેકરીની કદર કરતો હતે. મિસરના એક સંતે જંગલમાં સુંદર બગીચે બનાવ્યો હતો અને ત્યાં એક ખજુરીના ઝાડ તળે બેસી સિંહને પિતાને હાથે એ ફળ ખવરાવતે હતો. જ્યારે સંત પીત્રન શિયાળાની ઠંડી રાતે ટાઢથી થરથરતો હતો ત્યારે એક સિંહે તેની પાસે ભરાઈ તેનું આચ્છાદન કર્યું હતું. સંત પલ અને મિસરની સંત મેરીના શબને સિંહે દાટયાં હતાં. સંત જેરોમ ઇત્યાદિ ઘણા સંતની કથાઓમાં સિંહની વાત આવે છે. એક વૃદ્ધ અને નિર્બળ સાધુ મુસાફરી કરતા હતા અને એક ગધેડે તેને જે ઉચકી જતો હતો તેવામાં એક સિંહે આવી તે ગધેડાને મારી ખાધો; પણ સંતના હુકમથી તે સિંહ જ સંતને બોજે શહેરના દરવાજા સુધી ઉચકી લાવ્યા. ટોળામાંથી