________________ 328 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તે વધારે કરશે. પરંતુ ક્રૂરતાના કેટલાક પ્રકાર એવા હોય છે કે તેમને જુદી જ દૃષ્ટિથી જેવા પડે છે. જીવતા પ્રાણીઓ ઉપર થતી વાઢકુપ ઘણી વખત સ્વછંદી અને નિરર્થક હોય છે; કેટલીક વખત ખાણાની મોજની ખાતર પ્રાણીઓ ઉપર લાંબી અને ઘાતકી ક્રૂરતા વાપરવામાં આવે છે; અને આ ક્રરતા જાહેર દૃષ્ટિથી દૂર એકાંત ભાગમાં કરવામાં આવતી હોવાથી ચારિત્ર્ય ઉપર તેની અસર ઘણું થોડી થાય છે. તથાપિ તેના વિચાર માત્રથી પણ કેઈપણ દયાળુ માણસના હૃદયમાં કંપારી છૂટયા વિના રહેતી નથી. આવી આવી બાબતેની નીતિ પરત્વે ખ્રિસ્તિ દેશમાં છેલ્લા સૈકાથી જ લેકેનું લક્ષ બચાવા લાગ્યું છે, અને તે કાર્ય પણ ઘણું કરીને ગ્રેટેસ્ટંટ પ્રજાએ જ બજાવ્યું છે. જંગલમાં વસતા સંતના જીવનમાંથી ઉપસ્થિત થતી કથાઓ રૂપે દયાભાવ દુનિયાને પ્રાપ્ત થયો છે એ વાત આપણે સ્વીકારીએ તે પણ આપણે એટલું વિસરી જવું જોઈએ નહિ કે મોટા પાયા ઉપર પ્રાણીઓ પ્રત્યે દયાને પ્રચાર અર્વાચીન અને વ્યાવહારિક જમાનાને હાથે જ થયો છે; મુસલમાને અને બ્રાહ્મણ આ બાબતમાં ખ્રિસ્તિઓ કરતાં ઘણું ચડી જાય છે, અને સ્પેન અને દક્ષિણ ઇટાલી કે જ્યાં કેથેલિક ધર્મનાં મૂળ ઘણું જ ઉંડાં છે ત્યાં હજીપણ પ્રાણીઓ પ્રત્યે નિર્દયતા ઘણી જ થાય છે. મા–સંસ્થાના પ્રથમ સ્વરૂપથી લેકને લાભ થયો તે એટલે જ હતા કે સંતનાં જીવનની મહારી અને સુંદર કથાઓથી લેકેનાં હૃદય આકર્ષાતાં. ધર્મના મોટા વાદવિવાદના કાળમાં આ પર્વાત્ય સાધુઓમાંથી કેટલાક મોટા ધર્મશાસ્ત્રીઓ થયા હતા એ વાત ખરી. પરંતુ એકંદરે પૂર્વ પ્રદેશમાં સાધુઓ જંગલમાં રહેતા અને અત્યંત દેહદમન કરવામાં જ કાળક્ષેપ કરતા હતા. પરંતુ પશ્ચિમમાં સંતજીવને જૂદું જ રૂપ ધીમે ધીમે ધારણ કર્યું હતું, અને ઘણા ઉંચા પ્રકારની ફરજો બજાવી હતી. ઈટાલીની મઠસંસ્થાને સ્થાપક પૂર્વ દેશી સંત એથેનેસિયસ થયો હતો. ટુર્સના સંત મારટિને પિતાના સાધુઓને મહેનત કરવાની બંધી કરી હતી, અને તે અને તેના સાધુઓ, પૂર્વ દેશી સંતોની પેઠે બહાર ફર્યા કરતા, અને મંદીરેની