________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી.. 327 થએલા પક્ષીનાં તરફડીઆં કે બીકણ સસલાને નાસભાગમાં થતું દુઃખ જે આપણી કલ્પનામાં બરાબર ઉતરે તે સાઠમારીમાં સાંઢને થતા દુઃખથી ઓછું આપણને કદાચ એ નહિ લાગે. પરંતુ શિકારના ઉત્સાહથી આપણી કલ્પનામાં વક્રીભવન થાય છે, અને સસલાના નાના કદને લીધે અને તેના દુઃખનું સ્પષ્ટ ઉદ્દબોધન આપણે થતું નહિ હોવાને લીધે આપણું ચારિત્ર્ય ઉપર તેની માઠી અસર થતી નથી. પરંતુ પ્રાણીનું દુઃખ જો આપણા હૃદયમાં આરપાર ઉતરી જતું હોય અને આનંદના તવ તરીકે તેને સ્પષ્ટ સ્વીકાર થતા હોય તો ત્યાં ચારિત્રય ઉપર તેની માઠી અસર થાય છે. જંગલી પ્રાણીઓની કુસ્તીની પ્રાચીન રમતો હવે ખ્રિસ્તિ દેશોમાંથી લગભગ અદશ્ય થઈ ગઈ છે, અને મનુષ્યના હૃદયને કોમળ બનાવે એવી ખ્રિસ્તિ ધર્મના ઉપદેશમાં રહેલી શક્તિ, એ રમતને નાબુદ કરાવવામાં આડકતરી રીતે કાંઈક સાધનભૂત કદાચ થઈ પણ હશે, પરંતુ નિષ્પક્ષ માણસ તે કબુલ કરશે કે એવી અસર બહુ ડી થઈ છે. જે સમયે અને જે દેશમાં ખ્રિસ્તિ ધર્મની પ્રબળ સત્તા હતી, તે સમયે અને તે દેશમાં એવી રમતો વિરૂદ્ધ પિકાર ઉઠયો નહતો. સુખાભિલાથી અને ઔદ્યોગિક સંસ્કૃતિને લીધે જયારે માણસોની રીતભાતમાં કમળ નરમાશ આવી, અને એવી જંગલી રમતોમાંથી મળતા આનંદ પ્રત્યે જ્યારે અણગમાને ઉછાળે તેમને આવ્યો, અને જ્યારે તેમને બદલે નાટકદિ બીજા નવીન આનંદે તેમને મળવા લાગ્યા, અને તેથી સમાજના નીચલા ભાગમાં જ એ રમત ચાલુ રહેવાથી તેમની નિંદા થવા લાગી, ત્યારે જ તેમનો અંત આવ્યો. આ સંસ્કૃતિને છેટેસ્ટંટ પાદરીઓએ એકંદરે નીભાવી રાખી છે. પરંતુ વિચિક્ષણ નીતિવેત્તાએ વિચાર કરવો ઘટે છે કે ઉપલી જંગલી રમતમાં વધારે દુઃખ પ્રાણીઓને થતું હતું કે હાલ દૂર કતલખાનામાં જાનવરેને મારી નાખવામાં આવે છે અથવા ધીમે ધીમે તેમનું મોત આણવામાં આવે છે તેમાં તેમને વધારે દુઃખ થાય છે? અને અહીં પ્રાણીઓને થતા દુઃખને વિચાર તે ઓછો કરશે, પણ એવા તમાશાથી " જોનારના ચારિત્ર્ય ઉપર જે માઠી અસર કઈ વખત થાય છે તેને વિચાર