________________ કન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 325 એણે પાછું મેહ બતાવ્યું નહિ; અને બતાવ્યું ત્યારે શરમનું માર્યું નીચું જોઈ રહ્યું. તે તેને માથે કોમળતાથી હાથ ફેરવી તેને સાંત્વન કર્યું અને ગુનાની માફી આપી; અને તે માફી આપી છે એ બતાવવા એને બમણો ભાગ આપે. એક બીજા સંતની આગળ એક સિંહણ આવી તેને પગે પડી અને રેવા લાગીઅને પછી પોતાના બચ્ચા કને એને લઈ ગઈ. એ બચ્ચું આંધળું હતું પણ સંતની પ્રાર્થનાથી દેખતું થયું. વળતે દિવસે તે સિંહણ ઉપકારની નિશાની દાખલ જંગલી જનાવરનું એક ચામડું સંતને આ પી ગઈ. અલેક્ઝાંઝિયાના સંત મેકેરિયસને પણ એવું બન્યું હતું. હીના નામનું પ્રાણ પિતાના આંધળા બચ્ચાને લઈ એક વખત તેને બારણે આવ્યું, અને સંતે તેને દેખતું કર્યું. આ ઉપકારના બદલામાં તે પ્રાણીઓ સંતને ઉન આપ્યું. સંતે કહ્યું. “અરે કર પ્રાણી ! આ ઉન તું ક્યાંથી લાવ્યું ? ખચીત, કઈ ઘેટાને ચોરી મારી ખાધું હશે.” પ્રાણી શરમાઈ ગયું અને નીચું જોઈ રહ્યું, પણ તે ઉન સંતને આપવાનો આગ્રહ કરવા લાગ્યું. પરંતુ ફરીને કેાઈને નહિ લૂટવાના એણે સોગન લીધા ત્યારે જ સંતે તેની ભેટ સ્વીકારી. પિતાના માથાના નમનથી એ સોગન લીધા એમ એણે બતાવ્યું હતું. સંત મેકેરિયસે એ ઉન પછી સંત મેલેનિયાને આપી દીધું હતું. વળી કેટલીક કથાઓમાં, પક્ષીઓ અને સંતો વચ્ચે કેવો માયાળુ વ્યવહાર ચાલતો હતો તે કહ્યું હતું. સંત કથબર્ટના સાદથી પક્ષીઓ આવતાં, અને તેની પ્રાર્થનાથી મુએલું પક્ષી જીવતું થતું. કોઈ સંતને દુઃખ પડતું તે. પક્ષીઓ શેક કરતાં. સંતોના જીવનચરિતોમાં આવી સેંકડે કથાઓ છે. આવી વાતો. કદાચ આપણને અત્યંત બાલિશતાવાળી લાગશે, પણ ઘણું સૈકાઓ પર્યત લેકે એ વાતે માનતા હતા, અને તેથી તેમનાં હૃદય ઉપર અસર થતી હતી; અને વળી તે સમયના લેકેના અંતરની લાગણીઓ કેવી હતી તે પણ તેથી જણાય છે. પ્રાણીઓ પ્રત્યે અમુક પ્રકારની અનુકંપા ઉપજાવવાનું તેમાં વલણ હતું, અને એટલું જ તે દિશામાં કેથલિક ધર્મ કર્યું છે, પ્રાણીઓ પ્રત્યે સંતોએ સ્વભાવની કુદરતી કમળતા બતાવી હોય એવા