________________ 326 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વિશ્વાસપાત્ર દાખલા ઘણા છેડા બતાવી શકાય એમ છે. છોકરાંઓ પક્ષીએને પગે દેરે બાંધી તેમને કનડતાં હતાં તે જોઈ વેનિસને સંત જેમ્સ પૈસા આપી તેમને છોડાવતા હતા. આમ તેમના માયાળુપણુનાં દૃષ્ટાંત પણ કવચિત મળી આવે છે. પરંતુ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાની બાબત એકંદર ખ્રિસ્તિ ધર્મો બહુ ઓછો પ્રયાસ કર્યો છે. મુક્તિની યોજનામાંથી પ્રાણી સૃષ્ટિને ધર્મગુરૂઓએ કેવળ બહિષ્કૃત કરેલી હોવાથી પ્રાણીઓ પ્રત્યે તેમનું કાંઈપણ કર્તવ્ય છે એવી બુદ્ધિ ખ્રિસ્તિઓને રહી નહિ. પરંતુ જાણવા જેવી વાત તે એ છે કે જ્યારે પ્રાણીઓ પ્રત્યે માયાળુપણે કોઈ વ્યક્તિ વર્તતી અથવા દંતકથામાં તેનાં દૃષ્ટાંત અપાતાં ત્યારે જેમ બને તેમ ધર્મની સાથે એ વાતે જોડી દેવાનો પ્રયત્ન થતો હતે અર્થાત ધર્મની સહાય વિના કેઈપણ બાબતમાં કાંઈ પણ થઈ શકે એમ આ ખ્રિસ્તિ સમયમાં નહોતું. ઉપલી કથાઓમાં સંતના સેબતીઓ તરીકે પ્રાણીઓની પ્રશંસા કરવામાં આવી છે. સંતનાં મારક ચિહને જાહેરમાં લાવવાનું કામ સાબરને ખાસ કરીને પેલું હોવાથી અને તે પ્રાણી સર્વને કટ્ટો વેરી ગણાતું હોવાથી, તેને માન આપવામાં આવતું હતું. ગધેડા ઉપર બેસીને ઇશુખ્રિસ્ત મિસરમાં નાસી ગયો હતો અને જેરૂસેલમમાં પ્રવેશ કર્યો હતો તેથી ગધેડાને પવિત્ર ગણી તેના માનમાં ઉત્સવ થતું. બકરાંનાં બચ્ચાં ઈશુ ખ્રિસ્તનાં ચિહને ગણી સંત ફ્રાન્સિસ તેમના પ્રત્યે બહુ કોમળ રહે. સસલાના શિકારમાં લ્યુથરને પિશાચ આત્માને શિકાર કરે છે એમ સમજાતું; તેથી તે શિકાર જોઈ એ ખિન્ન અને ઉદાસ બનત. આવી રીતે કેટલાંક પશુઓ અને પક્ષીઓ ધર્મના ઇતિહાસમાં સંબદ્ધ થવાથી તેમને કોઈ પીડા કરતું નહિ. પણ આવી અસર ઝાઝા વિસ્તારમાં કદિ ફેલાઈ નથી. નીતિવેત્તાઓએ અહીં બે તદ્દન ભિન્ન ઉદ્દેશન વિચાર કરવાનું છે. કાતિ મનુષ્યોના ચારિત્ર્યને વિચાર તેઓ કરે અને કાંતો પ્રાણીઓને થતા દુઃખને વિચાર તેઓ કરે. રમત ગમતમાં કે ધંધાને અંગે પ્રાણીઓને થતા દુઃખની તીવ્રતાના પ્રમાણમાં મનુષ્યનું હૃદય કર્કશ, કદિન કે દૂર થાય છે; એ વાતને કોઈ નિયમ નથી. રમતમાં વાગવાથી ઘાએલ