________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 319 હતી અને તેમાં ખ્રિસ્તિ સંસારની નીતિ ભાવનાનું પ્રતિબિંબ પડતું હતું, તેથી આ દંતકથાઓ અત્ર આપેલી છે. વળી કેટલીક કથાઓમાં સંતે અને પ્રાણીઓની સૃષ્ટિ વચ્ચે કે સબંધ હતો તે વર્ણવવામાં આવ્યો છે; અને પ્રાણીઓ પ્રત્યે દયા અને માયાળુપણું કેળવવાનો પ્રયાસ તે કથાઓમાં હેવાથી નીતિના ઈતિહાસમાં તેમની નેંધ લેવી ખાસ ઘટે છે. પ્રાચીન વિધર્મી કાળમાં દયાના આ પ્રકારને નીતિના ક્રમમાં ગણવાના ઘણા ઈલાજ લેવાયા હતા. તે સમયમાં પ્રાણી વિજ્ઞાનશાસ્ત્રની કેવળ અજ્ઞાનતાને લીધે લેકે માનતા કે પ્રાણીઓમાં પણ બુદ્ધિ અને નીતિની ઉચ્ચ ભાવનાઓ હોય છે, અને તેથી મનુષ્યો અને પ્રાણીઓમાં બહુ થોડો ફેર છે. આ બાબતમાં અનેક વાર્તાઓ કહેવામાં આવતી હતી, અને તેથી પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાના સિદ્ધાંતને રસ્તે બહુ મેકળો થયો હતો. દાખલા તરીકે તેઓ માનતા કે હાથીઓમાં બુદ્ધિ અને શુભેચ્છા હોવા ઉપરાંત ધર્મભાવના પણ હોય છે. સૂર્ય અને ચંદ્રની તેઓ પૂજા કરતા, અને મોટેનિયાના જંગલમાં ધાર્મિક ક્રિયાઓ કરવા સુદ બીજને દિવસે નદીને કિનારે તેઓ ભેગા થતા. ગ્રાહ (જળ હાથી ) નામના પ્રાણીના શરીરમાં લેહી વધી જતું ત્યારે કોઈ કાંટા વડે પિતાની નસ ખેલી વધારાનું લેહી તે કાઢી નાખતું ને ચીકણી માટીથી પાછી તે નસ બંધ કરી દેતું. આમ નસ ખેલવાથી શું ફાયદો થાય છે તે એ બતાવી આપતું. લક્કડખોદાં પક્ષીઓ પિતાનાં બચ્ચાંનું પેષણ કરવા આત્મઘાત કરતાં; અને પોતાના રાજાના કાયદાનો ભંગ કરતી ત્યારે મધમાખીઓ પણ તેમ કરતી. એક ગરૂડપક્ષીને પ્રેમ એક યુવાન છોકરી પર હતો અને એ છોકરી મરી ગઈ ત્યારે એ પક્ષી નિરાશાથી અગ્નિમાં પડી બળી ગયું; અને તેની યાદગીરીમાં એસટોસમાં એક મંદીર બાંધવામાં આવ્યું હતું. પિતાના ધણીની પાછળ અનેક નિમકહલાલ કૂતરાંઓ મરી ગયાની વાત કહેવામાં આવતી, અને એવું કહેવાતું કે એ એક કુતરો તે નામને તારે થઈ આકાશમાં ફરે છે. ઘણું તત્ત્વવેતાએ પણ કહેતા હતા કે માણસના જેવો જ પ્રાણીએમાં પણ બુદ્ધિમાન છવ હોય છે. મુઆ પછી મનુષ્યોને આત્મા પ્રાણ