________________ 320 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એમાં અવતરે છે એમ પિથાગોરિયને માનતા હતા. સ્ટોઈક વિગેરે મતવાળા કહેતા હતા કે મનુષ્ય અને પ્રાણીઓના આત્મા જગતમાં સર્વત્ર પ્રસરી રહેલા એક જ દિવ્ય ચેતનના અંશ છે. વળી પ્રાથમિક સમયથી જ પ્રાણીઓનું રક્ષણ કાયદાથી કાંઈક થતું હતું. ખેતીવાડીના સાધનમાં બળદ મુખ્ય છે, તેથી ઘણું દેશમાં એ પ્રાણી ખાસ પવિત્ર ગણાતું હતું. મિસરમાં એ પ્રાણી કેવું પવિત્ર ગણાતું હતું તે જાણીતી વાત છે. રેમના એક પ્રાચીન સમયમાં પણ કલાગણી એવા જ પ્રકારની હતી, અને બળદને વધ મોટામાં મોટો ગુનો ગણુત હતો. ગ્રીસમાં પણ એવી જ જાતને કાયદો અસ્તિત્વમાં હતો. જ્યારે બાજ એક પક્ષીની પછવાડે પડયું ત્યારે તે પક્ષી ઝીને ક્રેટિસની છાતીમાં ભરાઈ ગયું ત્યારે પિતાને આશ્રય લીધેલા પક્ષીને આશ્વાસન આપી પછી તેને એણે છોડી મૂક્યું, અને પોતાના શિષ્યોને એણે કહ્યું કે જે પિતાને આશ્રય માગે તેને સારા માણસે તે આશ્ચયની કદિ ના પાડવી ન જોઈએ; અને લેકે માનતા કે એવો વિચાર દેવોને પ્રિય હતો, અને મંદીરના દરવાજામાં પક્ષીઓ માળા બાંધે તે હરકત કરવામાં અધર્મનું કામ ગણાતું હતું. તેથી ઘરમાં કે મંદીરમાં ચકલી માળો બાંધતી તો તેને હરકત કઈ કરતું નહિ. એક છોકરાએ પક્ષીઓ પ્રત્યે જરા વધારે ક્રૂરતા વાપરી; તેથી ખીજવાઈ લેકેએ તેને મારી નાખ્યો હતે. પ્રજાઓનું સામાન્ય વલણ, જેમ જેમ તે પ્રજાએ અણઘડ અને લડાથક અવસ્થામાંથી સુધારાની અને શાંતિની અવસ્થામાં આવતી જાય છે તેમ તેમ, વધારે વધારે માયાળુ અને દયાળુ થવાનું હોય છે એ નિઃસંશય છે; પરંતુ અનેક ખાસ સંજોગોને લીધે, બીજાં સઘળાં સામાન્ય વલણોની પેઠે આ વલણ કદાચ દબાઈ પણ જાય છે અથવા પૂરેપૂરું બહાર આવી ખીલી શકતું નથી. બળદો પર જે કાયદાની આપણે ઉપર વાત કરી છે તે, ઉન્નતિની છેક પ્રાથમિક અવસ્થાને છે એ વાત સ્પષ્ટ છે, કારણ કે તે સમયે લડાયક અને ભટકતી પ્રજામાં ખેતીવાડીની ટેવ કેળવવાનો પ્રયાસ ધારા શાસ્ત્રીઓ કરતા હોય છે. પરંતુ બળદને સારી નખાય નહિ એવા વિચારમાંથી