________________ 312 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એ સાદી હકીક્ત તે જમાનાની પતિત અવસ્થા જણાવવાને પૂરતી છે. સ્વદેશાભિમાન અને શૌર્ય લગભગ નષ્ટ થઈ ગયાં હતાં અને લોકોના આગેવાની નીતિ ઘણી નીચી હતી. દરબાર વિલાસી થઈ ગયો હતો, હજુ રીઆ અમીર ખુશામતી અને હાજીહા કહેનારા થઈ ગયા હતા, અને કપડાં અને ઘરેણુને શેખ બહુ વધી ગયો હતો. અત્યંત અનાચાર અને સખત તપ કૃત્તિના જોખમકારક વાર ફેરાથી લોકે પરિચિત થવા લાગ્યા, અને કઈ કઈ વખત એન્ટિયોક જેવાં અત્યંત દુરાચારી અને વિલાસી શહેરે સાધુઓની મોટી સંખ્યા પૂરી પાડતાં હતાં. દુરાચાર અને તેમને સોગ કે જે મનુષ્યના સુખને જે કે એટલે બધે હાનિકારક નથી પણ અમીર વર્ગના લાભમાં ખાસ કરીને આડે આવનારે હોય છે તે એ વખતે અસ્તિત્વમાં આવ્યું હતું. લેકમત એ તે ભ્રષ્ટ થઈ ગયા હતા કે ઘણા ખરા દુરાચારને શિક્ષા તે થતી નહિ પણ તેમની નિંદા પણ થતી નહિ, અને ધાર્મિક ક્રિયા કરવાથી પાપ નષ્ટ થાય એવા નિઃશંક વેહેમથી કહ૫નાને શાંતિ મળતી અને મને દેવતાના ડંખ અને ધાસ્તીઓ ઓછાં થઈ જતાં. સીઝર રાજાઓના સમય કરતાં જૂઠ અને દોહ વધ્યાં હતાં, પણ કુરતા, શિરજોરી અને નિલજતા ઓછાં થયા હતાં. સાર્વજનિક કામમાં ઉત્સાહ, નીતિમાં નિષ્પક્ષ સ્વાધીનતા અને બુદ્ધિવિષયક સ્વતંત્રતા પણ ઓછાં થયાં હતાં. તેમ છતાં, કેટલીક બાબતે ખ્રિસ્તિ ધર્મ સુધારો કર્યો હતો. તરવાનાં પ્રાણઘાતક ખેલે પશ્ચિમમાંથી લેપ પામ્યા, અને ઇસ્તંબુલમાં તો દાખલ પણ થયા હતા. વિનસના મંદીરમાં થતે સ્ત્રીઓને અનાચાર બંધ પડયો હતો. દુરાચારની નકટતા કંઈક ઓછી થઈ હતી. ચિત્રોની બિભત્સતા, અમીરો ખાણું ઉપર નિર્લજતામાં આનંદ માનતા હતા તે, સૃષ્ટિ વિરૂદ્ધ મૈથુનની ભયંકર બદી, આ બધાં હવે એમને એમ ચાલવા દેવામાં આવતાં નહિ; અને તેમની શરમ લેકેને કંઈક હવે લાગતી હતી. વ્યભિચાર હજી ઘણો હતો, પણ તેના અસ્વાભાવિક અને અમાનુષી પ્રકાર કી ચિત જ બનતા. ખ્રિસ્તિ ધર્મમાં જે કે વેહેમ અને ધર્મધતા હતા, પણ