________________ કન્સ્ટનટાઈનથી શાલમેન સુધી 309 વિધર્મીઓ અને ખ્રિસ્તિઓ બન્નેના લખાણોમાં આવાં દષ્ટાંતિ મળી આવે છે અને નીતિના ઈતિહાસમાં એ પૃષ્ઠ ઘણું વિચિત્ર છે. આ પ્રમાણે એક અમીરે પિતાને રથ પિતાને હાથે હાંક હતો માટે જુવેનલ તેને ભાંડવામાં બાકી રાખતા નથી. તે કહે છે કે જે વર્ષ પિતે શહેરને હાકેમ નીમાયો તેજ વધે, દિવસે તે નહિ પણ ચંદ્ર અને તારાઓની દષ્ટિ સમક્ષ, અને તે પણ જાહેર રસ્તા ઉપર, પિતાનો રથ પિતાને હાથે હાંકતાં તે અમીરને જરા પણ શરમ આવી નહિ ! કેટલાંક માણસો જુદી જુદી જાતના પીણામાં બરફ નાંખી તે પીતા એ શેખીન રીવાજને ઘણે ઘાતકી અને અસ્વાભાવિક ગણ સેનિકા તેને ઘણે ભ્રષ્ટ કહેતે. બ્લિનિ કહે કે કે સેનાની વીંટી પહેરવાનો શોખીન રિવાજ જેણે પ્રથમ શોધી કાઢયે હોય તેને મેટામાં મેટા રાક્ષસી ગુનેગાર કહે જોઈએ. દંત–મંજનની પ્રશંસા કરવા માટે એપ્પલીઅસને પોતાને બચાવ કરવાની જરૂર પડી હતી, અને બચાવમાં તેણે કહ્યું હતું કે નાઈલ નદીના પાણીમાંથી મગરો પણ અમુક અમુક વખતે બહાર આવી કિનારા ઉપર જડબા ઉઘાડાં રાખી પડયા રહેતા, અને પક્ષીઓ આવી પિતાની ચાંચથી તેમનાં દાંત સાફ કરી નાખતા; તેથી એમ સિદ્ધ થાય છે કે દાંત સાફ કરવાનું કામ કુદરતી રીતે વાજબી છે. પ્રાચીની સખત નિંદાના પ્રમાણમાં જ જે જૂદી જૂદી રૂઢીએના ગુનાનું માપ કરવા આપણે બેસીએ તે માથે ખોટા વાળ પહેરવાને કે તેમને કૃત્રિમ રીતે રંગવાને રિવાજ તેમના સમયમાં ઘાતકીમાં ઘાતકી ગુનો હતો એમ કહેવું પડે. એલેક્ઝાંડિયાને કેલેમેન્ટ પૂછતો કે ખોટા વાળને લીધે કેટલીક ધાર્મિક ક્રિયાઓ બરાબર થઈ ગણાય કે નહિ ? કારણ કે, ધારે કે કોઈ માણસે માથે ખોટા વાળ પહેરીને પાદરીને આશિર્વાદ ઘૂંટણીએ પડી માગ્યો, અને તે પાદરીએ તેના મસ્તકે હાથ મૂકી આશિર્વાદ આપે; તે એ આશિર્વાદ ખરું જોતાં એણે કેને આપે? માથે પહેરેલા ખોટા વાળ કદાચ જે મનુષ્ય નરકમાં પડયું હશે તેના હોય તે ! એ વિચારથી ટરયુલિયનને કંપારી છૂટતી ઇત્યાદિ. સૈકાઓ વહી ગયા રોમનું રાજ્ય પાયામાંથી ખળભળી પડી ગયું અને દુરાચાર અને