________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 307 અને રાજકીય જીવનનું સ્વરૂપ ફરી ગયું છે. પ્રાચીન લેકમાં સ્ટોક મતવાળાઓ કે જે સદાચાર અને દુરાચારને સર્વ વસ્તુઓથી અત્યંત ભિન્ન ગણતા તે પ્રજાકીય જીવનમાં ચંચળતાથી ભાગ લેતા હતા અને એવી રીતે ભાગ લેવાનું તેઓ પિતાનું પ્રથમ કર્તવ્ય લેખતા હતા, પરંતુ એપિકયુરતના અનુયાયીઓ ઉપયોગિતાને જ સદાચાર લેખતા હતા અને સુખને તેનું અંતિમ પ્રયોજન ગણતા હતા; છતાં પ્રજાકીય જીવનથી તેઓ અલગ રહેતા હતા, અને પિતાના શિષ્યોને તેની ઉપેક્ષા કરવાને ઉપદેશ આપતા હતા. સદાચાર અને સુખ ભિન્ન ભિન્ન વસ્તુઓ છે એ ઉપદેશ આપવામાં તપોવૃત્તિએ સ્ટઈક મતનું અનુસરણ કર્યું છે, પણ સાથે સાથે નાગરિક સદાચારને તે અત્યંત પ્રતિકૂળ પણ હતી. પરંતુ ગુલામગીરી જ્યારથી નાબુદ થઈ ત્યારથી જે મહાન ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ થઈ છે અને સ્વરૂપે જે જનહિતવાદને જ અનુસરનારી છે તે રાજકીય પ્રગતિમાં ઘણું જ ચંચળ અને બળવાન તત્વ થઈ પડી છે. આ પરિવર્તન નીતિના ઈતિહાસમાં બહુ મોટા ફેરફાર સૂચવે છે; અને તે ખાસ લક્ષમાં રાખવા જેવા છે. બીજી વાત લક્ષમાં રાખવાની છે તે આપણે સ્વદેશાભિમાની કાર્યોની જે કિંમત આંકીએ છીએ તે બાબત વિષે છે. કઈ પ્રજાના ખાનગી અને કૈટુંબિક સદાચાર વિષે ઘણી બેજ કરવાની ઇતિહાસકારની ઈચ્છા હોય, તથાપિ નાગરિક સદાચારે જ તેમના ગ્રંથમાં બહુ આગળ પડતા દેખાઈ આવે છે. ઈતિહાસનો સબંધ મનુષ્યના મોટા સમુદાય સાથે જ હોય છે. તત્વજ્ઞાનનાં દર્શને અને ધર્મો સાર્વજનિક જીવનની વિશાળ રંગભૂમિ ઉપર ભવ્ય પરિણામે નીપજાવે છે તેની કિંમત સહેલાઈથી અને સંપૂર્ણ રીતે આંકવામાં આવે છે, અને નાગરિક સદાચારને જે દર્શને અનુકૂળ નથી હોતાં તેમનાથી આ દર્શનેને વધારે કિંમતી ગણવાનું વલણ વાચકવર્ગ અને લેખકે બન્નેમાં હોય છે; તથાપિ તે દર્શને વ્યક્તિએની આત્મ-કેળવણી, કૌટુંબિક સૈજન્ય અને સખાવતના ક્ષેત્રમાં અપ્રસિદ્ધ રીતે બહુ સારાં પરિણામ ઉપજાવે છે. આ પાછલ સદાચારમાં આત્મ-ભોગ ઘણે રહેલું હોય છે અને મનુષ્ય જાતને તેથી સુખ પણ