________________ 298 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જણને ઉપદેશ આપતાં આ પ્રમાણે બેલ્યો હતો. “તારે નાનો ભત્રીજો પિતાના નાના હાથ નાખી તારી કોટે વળગી પડે, તારી મા માથાના વાળ પીંખીને આક્રંદ કરે અને તેને ધવરાવી મોટો કર્યો છે એમ કહે, તારે બાપ તારી આગળ મડદું થઈને પડે તો પણ તેના મૃત દેહ ઉપર પગ મૂકીને અને બીજાની દરકાર નહિ કરીને તું ચાલ્યો જજે. આ બાબતમાં ક્રૂરતામાં જ ભક્તિ છે. તારી વિધવા બહેન તને ભેટી પડી વિનવશે; તારે બાપ તને છેડે વખત ભવાનું કહેશે; તારી મા કરગરશે; તારી આસ પાસ વીંટાઈ વળી સૈ કહેશે કે ઘરને આધાર તારા ઉપર છે. પણ પ્રભુનો પ્રેમ અને નરકની ધાસ્તી આ બધી બેડીઓને સહેલાઈથી તેડી નાખવા સમર્થ છે. તારે એમ કહેવું કે માબાપની આજ્ઞા પાળવી એમ શાસ્ત્ર કહે છે; પણ ઈસુ ખ્રિસ્ત કરતાં જેને પિતાનાં માબાપ વધારે વહાલાં છે તેના આત્માની અધોગતિ જ થાય છે. તારે કહેવું કે દુશ્મન માથે તરવાર લઈને ઉભે છે એવે સમયે માતાના આંસુઓને શું હું વિચાર કરીશ?” આવા વિચાર પછીના જમાનામાં પણ ચાલુ રહ્યા હતા. મહાન સંત ગ્રેગરી કહે છે કે એક છોકરે સાધુ થયો હતો, પણ તેના માબાપ ઉપરથી તેને પ્રેમ છૂટી શકે નહેતો; અને તેથી એક વખત ગુપ્ત રીતે તેમને મળવા એ ગયો; પરંતુ પાછો જ્યારે એ મઠમાં આવ્યો કે તુરત તે મરી ગયો; અને એને દાટવા માંડે ત્યારે જમીન એના મડદાને પાછું ઉલાળી દેવા લાગી. અર્થાત જમીને પણ એને સંઘરવાની ના પાડી. પછી જ્યારે સંત બેનેડિકટે એની છાતી ઉપર પવિત્ર ભોજનને ટૂકડે મૂકો ત્યારે જ તેને દાટી શકાય. એવું કહેવાય છે કે એક સાધ્વીએ તેની મા ઉપર જરા વિશેષ પડતો પ્રેમ રાખ્યો હતો તેથી વિશુદ્ધિને માટે ત્રણદિવસ સુધી મુઆ પછી પાપ નિવારક અગ્નિની જવાળામાં એને રહેવું પડયું હતું. એક સંતને માટે એવું કહેવાય છે કે તે એવા તે ભલા સ્વભાવને હતું કે પોતાના સગાં સિવાય અન્ય કેઈની સાથે સખ્તાઈ કે કઠોરતાથી વરતતાં એ જણાવ્યો નહોતો. એક સંતે પોતાના બાપને ફટકાની સજા કરી હતી, કારણ કે સંત તરીકે સૌને પિતે પિતા છે એમ એ ગણાતે હતો. સંતો