________________ 300 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. તપાસ જોઈએ. અને આ દષ્ટિએ તપાસતાં તપધારીના આત્મભોગને ગ્રીસ અને રોમના મહાન નરેના આત્મભોગની હારમાં મૂકી શકાતો નથી. આ લેક કે પલેક-ગમે ત્યાં લાભ થતું હોય, પણ તે લાભ જ છે, સ્વાર્થ છે. પાકિક દુઃખને તીવ્ર ભય કે ભવિષ્યમાં થવાના સુખની પ્રબળ દર છ જ્યાં કાર્યનું પ્રયોજન હોય ત્યાં આસ્થાની ધાર્મિક ઉત્તમતા ભલે હોય, પણ હૃદયને ઉન્નત બનાવતે નિઃસ્વાર્થને ગુણ તે ત્યાં નથી જ. હાલના સમયમાં પલેકના સુખ દુઃખની વાત આપણી કલ્પના ઉપર ઘણી નિબળ અસર કરી શકે છે, તેથી આપણું ધાર્મિક પ્રયજન સામાન્ય રીતે બને સ્વાર્થી હોય છે. પરંતુ એ પ્રયોજન હમેશાં એવું બીન સ્વાર્થી રહ્યું નથી, અને તપોવૃત્તિના પ્રથમ કાળમાં તે એ બેશક બીન સ્વાર્થી નહોતું જ, ભવિષ્યને વિચારની ધાસ્તીઓથી સાધુ જંગલમાં દેડી જતા હતા, અને તપોવનની આખી પ્રવૃત્તિમાં ધાર્મિક પણ પ્રબળ સ્વાર્થની વૃત્તિ સિવાય અન્ય કશું નહોતું. કટુંબિક લાગણીઓના ઉચ્છેદની અસર લેકેના સામાન્ય ચારિત્ર્ય.” ઉપર ઘણું કરીને ઘણું માડી થઈ હતી. કેટલાંક સ્પષ્ટ કર્તવ્ય કરવાનું ક્ષેત્ર કુટુંબ છે એટલું જ નહિ પણ લાગણીઓને કેળવવાનું પણ તે સ્થળ છે; અને એ તપસ્વીઓના તપને પ્રકાર એ હતો કે પરિણામે તેમના આચરણમાં અત્યંત વિક્રાળતા આવી. સઘળા સાંસારિક સંબંધ અને સ્નેહથી વિરક્ત બનેલા આ સાધુઓ પિતાની ધર્મ સંસ્થાને અને પિતાના અભિપ્રાયોને ચૂસ્તપણે સજજડ વળગી રહેતા; અને તેમના આખા જીવનનું જેર એક જ વિષય ઉપર એકત્ર થએલું હોવાથી, તેમની અજ્ઞાનતા અને ધમધતાને લીધે તેમની વિરૂદ્ધ કોઈ સારી વસ્તુ હોવાનો સંભવ જ તેમને લાગતો ન હોવાને લીધે, અને સઘળી વાસ્તવિક સહૃદયતા અને લાગણઓને સમૂળ ઉછેદ કરવાને તેમને મુખ્ય ઉદેશ હોવાથી, જે માણસે તેમના મતથી જૂદા પડે તેમને અંતઃકરણથી તેઓ અત્યંત ધિક્કારતા હતા. આ ધિકારની બળતરા તે વખતે બહુ સામાન્ય થઈ પડી હતી. રામના રાજ્ય-બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાને સંપૂર્ણ તે નહિ, પણ બહોળા