________________ કેન્સ્ટનટાઈથી શાલમેન સુધી. 301 અને સામાન્ય સ્વીકાર હતો; તે સ્વીકાર મુખ્યત્વે કરીને ખ્રિસ્તિ ધર્મ ગુરૂઓના પ્રતાપે કરીને જતો રહ્યો અને તેને બદલે બહુ બારીક અને સખ્ત ધાર્મિક અક્ષમાના કાયદા થયા. આ કાયદાને અક્ષરશઃ અમલ કરનારા અને કરાવનારા આ તપસ્વી સાધુઓ થઈ પડયા. રેમન મહારાજ્યમાં ભક્તિના કેઈ પ્રકારની કાયદામાં મનાઈ હોય તો પણ તે કરતાં લોકોને બહુ ભીતિ રહેલી નહિ, કારણકે રાજ્ય મોટું મન રાખી એવી તુચ્છ વાતને ગણકારતું નહિ, અને પોલિસની દેખરેખ પણ બહુ બારીક રહેતી નહિ. આ પદ્ધતિ ખ્રિસ્તિ ધર્મના ઉદયને માટે બહુ અગત્યની હતી અને અનુકૂળ થઈ પડી હતી. પરંતુ ખ્રિસ્તિ ધર્મ એ પદ્ધતિને નાશ જ કરી નાખે. સાધુઓનાં ટોળાં આખા દેશમાં ભટકતા, મંદીરે બાળી મૂકતા, મૂર્તિઓ ભાંગી નાખતા, અને ગામડીઆઓ સાથે વિખવાદ કરી ખુનખાર ટંટા કરતા અને આ કામને માટે તેમનાથી વધારે લાયક બીજા માણસે હોઈ પણ શકે નહિ. તેમની વિક્રાળ ધર્માધતાને લીધે, દરેક મૂર્તિ ની અંદર પિશાચ જ હોય છે એવી તેમની માન્યતાને લીધે, અને મૂર્તિ પૂજાની સામે થતું યુદ્ધ ધર્મયુદ્ધ હોવાને લીધે તેમાં મૃત્યુ થાય તે ધર્મ વિર ગણાઈએ એવી તેમની માન્યતાને લીધે, પિતાનું શું થશે તેના તેઓ બેદરકાર રહેતા અને સાધુઓ હોવાને લીધે તેઓ પવિત્ર મનાતા હોવાથી રાજ્યના અમલદારે તેમને કબજે રાખવા ભાગ્યે જ શક્તિમાન થતા. જે માણસ પિતાની માતા કે બહેનના હૃદય-ફાટ રૂદનની મિલકુલ દરકાર ન રાખ અને કઈ પણ રીતે દેહને કષ્ટ આપવાને જ ઇંતેજાર રહે, તેને અન્યની, ઈશ્વર-ભક્તિની કે અન્યનું અંતર દુઃખાશે એ વાતની દરકાર ક્યાંથી રહે ? અને કળાના સેંદર્યનું ભાન પણ તેનામાં શી રીતે આવે ? તેથી ભવ્ય મંદીરો તેઓ તેડી પાડતા; અને તેમણે તેડી પાડેલાં મંદીરે ફરી બાંધવાને હુકમ જે કઈ રમી શહેનશાહ કર તો ધર્મ ગુરૂ અને તપસ્વીઓ તેના હુકમને વખોડી કહેતા કે તે મોટામાં મોટું પાપ કરે છે. તેડેલાં દેવોને ફરી બાંધવામાં કે બંધાવવામાં પાપ છે એ સિદ્ધાંત ખ્રિસ્તિ ગુરૂએ કહેતા અને મનાવતા.