________________ 296 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કથાઓથી જણાઈ આવે છે. આવી વિરક્ત દશાને મુખ્ય મુખ્ય ધર્મગુરૂઓ અને લેખકે તે સમયમાં ઉત્તેજન આપતા, અને સંસારનો ત્યાગ અને કૌટુંબિક લાગણીઓના મારણને ઉંચામાં ઉંચું કર્તવ્ય ગણવાનું તેઓ કહેતા. થોડા ઘણું અંકુશ પણ તેમણે બેશક મૂક્યા હતા, પણ તે નિર્જીવ હતા. પતિ પત્ની એકબીજાને ત્યાગ કરવા સ્વતંત્ર છે કે કેમ ? એ વાતને વિચાર આપણે પછી કરશું. પરંતુ માબાપ જે પિતાનાં બાળકને તેમની મરજી વિના મઠમાં મૂકી આવે તે મોટા થતાં તેમને સંસારમાં પાછા આવવાની રજા મળતી. પરંતુ ઈ. સ. 633 માં ટોલેડાની ચોથી ધર્મસભાએ તેમની આ સ્વતંત્રતા પ્રથમ જ લઈ લીધી. અને સન્યાસી થવા દીકરે બાપની સામે થાય તે ખ્રિસ્તિવૃદ્ધો એ વાતની પ્રશંસા કરતા. જસ્ટિનિયને કાયદો કર્યો કે દીકરાને ભઠમાં રહેવું હોય તે માબાપથી અટકાયત થાય નહિ અને તેમની પરવાનગી વિના સાધુ થયો હોય તે તેને વારસામાંથી બાતલ કરવાની તેમને સત્તા નથી. તેથી સાધુઓ ઉપદેશ કરી દીકરાને દોરી જતાં હતા. એક પિતાએ પિતાના યુવાન પુત્રને લશ્કરી નોકરીમાં ગોઠવવાને ઇરાદો કર્યો હતો, પણ તેને લલચાવીને મઠમાં લઈ જવામાં આવ્યો હતો એ વાતનું વર્ણન સંત ક્રિસેસ્તમ ઘણા ઉત્સાહથી કરે છે, સંત અંબેઝનું વકતૃત્વ એવું તે મેહક ગણાતું હતું કે તેના આકર્ષણથી રક્ષણ કરવા માતાઓ પોતાની દીકરીઓને ઘરમાં પૂરી રાખતી. પ્રેમાળ માબાપની સ્થિતિ તે સમયે અત્યંત દુઃખદ હતી. સંત ક્રિસસ્તમની માતા કે જેણે દીકરાને ખ્રિસ્તિ બનાવવામાં મુખ્ય ભાગ લીધો હતો તે માતા જ્યારે દીકરે સાધુ થવા તૈયાર થશે ત્યારે દીન બની તેને વિનવવા લાગી કે જંગલમાં નાસી જવાનું અને કર્તવ્ય લાગતું હોય તે પણ એના મૃત્યુ પર્યત એ વાત એણે મુલતવી રાખવી. સંત અંબ્રોઝનો ઉપદેશ હતું કે માબાપની રજા લઈ જે સન્યાસી થાય તે ઉત્તમ; પણ તેમની રજા લીધા વિના જે સન્યાસી થાય તે વળી વધારે ઉત્તમ અને માબાપે જે શિક્ષા કરી શકે તેના કરતાં તવૃત્તિનાં સુખ ઘણું વધારે હતાં એની દલીલ તે કરતે હતા. જે માબાપે પિતાનાં છોકરાંને જંગલમાં જતાં અટકાવે તેની નિંદા પાદરી