________________ 295 કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. માં પણ સંત સિમિયન સ્ટાઈલાઈટસનું ચરિત ચડી જાય છે. તેના માબાપનો પ્રેમ તેના ઉપર ઘણો જ હતો, અને તેનું જીવન ચરિત લખનાર કહે છે કે સંત થવા માટે ઘેરથી તે નાસી ગયો તેના શોકથી તેને બાપ મૃત્યુ પામ્યો. પરંતુ તેની દુખણ મા જીવતી રહી હતી. સત્તાવીસ વર્ષ પછી તપથી આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ પડેલા પિતાના પુત્રના રહેઠાણની તેની માને ખબર પડી, અને તેને મળવા આતુર બની તે ત્યાં ગઈ. પરંતુ તેને સઘળો પરિશ્રમ વ્યર્થ ગયો. કોઈ સ્ત્રીને એના રહેઠાણમાં પેસવા દેવામાં આવતી નહિ અને પિતાનું મહ જોવાની પણ એણે એને ના પાડી. રેઈ કકળીને તેણે મેણું માર્યા; પણ વ્યર્થ, તેણે કહ્યું “મારા દીકરા, શા માટે મેં આમ કર્યું છે? ગર્ભમાં મેં તારે ભાર વેઠયો, અને તેં મારા જીવને શોકથી છિન્ન ભિન્ન કરી નાખે, મેં તને ધવરાવી મેટે કર્યો, તેં આંસુથી મારી આંખો ભરી દીધી છે. મેં તને વહાલનાં ચુંબન આપ્યાં હતાં, તે ભગ્ન હદયની વેદના મને આપી છે. તારે માટે મેં જે જે કર્યું અને ભગવ્યું છે, તે બધાને બદલે અત્યંત ક્રુર તે મને આપ્યો છે.” છેવટે સંતે કહેવરાવ્યું કે તેનું મુખ જેવા પ્રસંગ હમણાંજ એને આવશે. ત્રણ દિવસ સુધી તે રોઈ, કળી અને કંઈ કંઈ કાલાવાલા કર્યા, પણ વ્યર્થ, છેવટે વૃદ્ધાવસ્થા, શોક, અને ભૂખથી તે જમીન ઉપર ઢળી પડી અને દીકરાની મઢીને બારણે છેવટને નિશ્વાસ નાખીને મૃત્યુ પામી. ત્યારે સંત સાહેબ પિતાના અનુયાયીઓને લઈ બહાર આવ્યા. પિતે મારી નાખેલી માતાના શબ ઉપર અંતે ભક્તિના કાંઇક આંસુ પાડી તેના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી. કદાચ માત્ર કલ્પનાને ખેલ હશે, કદાચ માતાના ખોળીઆમાંથી પ્રાણ પૂરે જ પૂરે ગયો નહિ હોય, કદાચ એ વાત જેડી કાઢેલી હશે; પરંતુ ઢળી પડેલા શરીરમાં કાંઈક સંચાર થયો, જેને ચમત્કાર માનવામાં આવ્યું છે. સંત સાહેબે ફરીને પ્રાર્થના કરી, અને પછી વખાણ કરતા પિતાના સેવકની સાથે માને વધ કરનાર આ સંતગુફામાં જઈ ભકિત કરવા લાગ્યો. તપોવૃત્તિના સમયમાં નીતિના કેવા વિચાર ઉભા થયા હતા તે આવી