________________ કેન્સ્ટનટાઇનથી શાલમેન સુધી. 255 પ્રભુ-ભોજનમાંથી બાતલ કરતો. વળી સ્ત્રી ગુલામેની આબરૂ સાચવવા માટે પણ સંસ્થાએ ચીવટ રાખી કાયદા કર્યા હતા. વળી છૂટો થએલે ગુલામ પાદરી પણ થઈ શકતો અને એવા ગુલામ આગળ મેટા તાલે. વંત શેઠીઆઓ પણ ઘણીવાર ઘૂંટણીએ પડી તેમને આશિરવાદ યાચતા. બીજો પ્રકાર એ હતો કે સેવકવર્ગને ખ્રિસ્તિ ધર્મ નૈતિક ગૌરવ અપ્યું માની જીદગી કે જેના પ્રત્યે લોકોને ગંભીર પ્રકારનું માન ઉપર્યું હતું તે જંદગીની સાથે એ ધર્મ નિર્ધનતા અને મહેનતને જોડી દીધી, એટલું જ નહિ પણ જમાનાના નૈતિક દૃષ્ટિબિંદુમાં એણે નવા ફેરફાર કર્યા; તેથી આ બાબતમાં એ સફળતા પ્રાપ્ત કરી શકે. ગુલામની પોતાની સ્થિતિને માટે નહિ, પણ એ સ્થિતિને લીધે તેમનું જે ચારિત્ર્ય બંધાઈ ગયું હતું તેને લઈને, ગુલામો પ્રત્યે વિધર્મી લેખકે બહુ તિરસ્કારની દૃષ્ટિથી જોતા. સેવક વર્ગનું ચારિત્રય તેમને મન દુરાચારનું બીજું નામ માત્ર હતું. સિસે કહે કે ગુલામના ચારિત્ર્યમાં કઈ મહાન કે ઉત્તમ હોઈ જ શકે નહિ, અને પ્લેટસના નાટકના દરેક પ્રવેશમાં ગુલામની એવી જ ગણના કરેલી છે. આમાં કેટલાક અપવાદ પણ હતા એ વાત ખરી છે. એપિકટેટસનું ચારિત્ર્ય ઉમદામાં ઉમધું હતું અને રેમમાં તેવું ગણાતું હતું. પોતાના સ્વામી પ્રત્યે ગુલામોની નિમકહલાલીનાં વારંવાર વખાણ થતાં. અને બીજી બાબતની પિઠે આમાં પણ સેનિકા ગરીબોને બેલી હતે. તથાપિ ગુલામે પ્રત્યે તિર સ્કારની દૃષ્ટિ સામાન્ય હતી એમાં કોઈ શંકા નથી, અને ઘણે અંશે વિધર્મી સંસારમાં તે વાજબી પણ હતી. દરેક જમાનામાં પિતાપિતાનું નૈતિક દૃષ્ટિબિંદુ હોય છે અને એ દષ્ટિબિંદુને લક્ષી બધા સદાચારી મનુષ્યનું વર્તન થાય છે. વળી જીવનના દરેક ભિન્ન ભિન્ન પ્રદેશમાં પણ અમુક અમુક જાતને નમુને ઉપજાવવાનું ખાસ વલણ હોય છે, અને તે પ્રદેશ અમુક જાતના સદાચારને ખાસ કરીને અનુકૂળ હોય છે અને અન્ય પ્રકારના સદાચારને ખાસ કરીને પ્રતિકૂળ હોય છે. જેટલે અંશે જમાનાના નૈતિક નમુનાની સાથે દરેક વર્ગને આ નમુને એકાકાર થાય છે, તેટલે અંશે લેકે તેની ઉચ્ચ ગણના કરે છે અને ખરેખરી નીતિ પણ તેમાં તેટલી જ