________________ 290 યુરોપીય પ્રજાના આચરણનો ઈતિહાસ આનંદ અને વૈર્ય, અત્યંત દેહ કષ્ટને લીધે જેમનાં શરીર અત્યંત જીર્ણ થઈ ગયાં હોય છે તેમનામાં આ ગુણ કવચિત જ માલમ પડે છે. કેથેલિક ધર્મ કુંવારી જીંદગીને સર્વોત્તમ માનતા હોવાથી આ સદ્દગુણને તે સંપ્રદાય નીતિના ક્રમમાં ઘણું નીચું સ્થાન આપે છે. પરંતુ ટેસ્ટંટ પંથ અને ઔદ્યોગિક પ્રગતિના દઢ વલણને લીધે તે ગુણે હવે ઉંચા ગણાવા લાગ્યા છે. - શરીર-સંપત્તિ ઉપર નીતિને કેવો અને કેટલે આધાર છે તે વિષે નિશ્ચયપૂર્વક આપણે કાંઈ કહી શકીએ તેમ નથી. જુદા જુદા નૈતિક ગુણોને માટે શરીરની પૂર્વવર્તી દશા કેવી કેવી જોઈએ તે સંબંધી આપણું જ્ઞાન એટલું બધું ઓછું છે કે તેમાં વિશ્વાસપૂર્વક કથન કરવું મુશ્કેલ છે; તથાપિ અમુક સદાચાર કે અમુક દુરાચાર શરીરની અમુક દશામાં આપણે જોઈએ છીએ તે ખરા. પરંતુ તેમની વચ્ચે કાર્યકારણ ભાવને સબંધ છે કે કેમ ? અને છે તે કેવા પ્રકારને ! એ વાત આપણે સમજી શકતા નથી. પરંતુ તપવૃત્તિઓ ઉપજાવેલી અમુક પ્રકારની શારીરિક પ્રવૃતિમાંથી નીપજતા પરિણામે વિષે આપણે ગમે તે મત બાંધીએ, તથાપિ જીવનની જે દશાને ઉપદેશ તવૃત્તિ આપતી તે દશામાંથી ઉપસ્થિત થતાં પરિણામે વિષે તે વિવાદ હોઈ જ શકે નહિ. સંતના જીવનને મુખ્ય ઉદેશ જ સન્યાસ હ; અને સન્યાસીને કુટુંબની જંજાળ માત્ર છોડી દેવાની હોવાથી, કૌટુંબિક સદાચાર ઉપર તવૃત્તિ બેશક દુષણ ચડાવે છે. કુટુંબ અને સંસાર પ્રત્યે સંતને કેટલે તિરસ્કાર હતો, અને તેથી પિતાના નિકટ સંબંધીઓની સાથે હૃદયની કેટલી બધી કઠિનતા અને કેટલા બધા અનુપકારથી તેઓ વર્તતા હતા તે તેમની જીવનકથામાંથી સ્પષ્ટ જણાઈ આવે છે. ભૂતકાળના આ વેરાગીઓને વખાણનારાઓ આવી બાબતોને સામાન્ય રીતે અંધારામાં રાખે છે. જે માતાએ એને જન્મ આ હોય છે તેનું હૃદય પિતાના અનુપકારથી ભક્સ કરી તેને રેતી કરવી, જે પત્ની તેને પૂજતી હોય છે તેને ભેળવીને કાયમને માટે કેરે કરવી, છોકરાંને નિરાધાર અને ભિખારી બનાવી સંસારમાં રઝળતા કરી