________________ 288 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ, જંદગી ગુજારતી. સંત પેલેજીયા પ્રથમ એન્ટીઓક શહેરમાં નાટકમાં સ્ત્રીખેલાડી હતી; તે રૂપમાં ઘણી સુંદર હતી, અને પુરૂષને મુગ્ધ કરે એવા હાવભાવ કરવામાં બહુ કુશળ હતી. તે જ્યારે વટલી ખ્રિસ્તિ થઈ, ત્યારે ધર્મગુરૂઓએ તેને માટે પ્રાયશ્ચિત કરાવી એક મોટી ઉમરની પવિત્ર અને ભક્તિમાન કુમારિકાની સબતમાં એને રાખી. પરંતુ તેથી વધારે સખત જીવન જીવવાની ઈચ્છાથી ત્યાંથી એ નાશી ગઈ; અને પુરૂષનો પિશાક પહેરી અન્ય સાધુઓમાં ભળી ગઈ; અને એવી કુશળતાથી પિતાને આ વેશ એણે જાળવી રાખ્યો કે તેની કીર્તિ ઘણી ફેલાઈ અને મુઆ પછી જ તેને ખબર પડી કે તે સ્ત્રી હતી. આ સાધુઓ કેવી જીંદગી ગુજારતા હતા તે આપણે જોયું. હવે આ જંદગી અને તેણે ઉપજાવેલા સાહિત્યથી ખ્રિસ્તિઓના નૈતિક દૃષ્ટિબિંદુ અને આચરણ ઉપર શી અસર થઈ તે આપણે જોઈએ. પ્રથમ પ્રેમ, દયા અને પરે પકારને બ્રિતિ ધર્મગુરૂઓના લેખોમાં અગ્રસ્થાન આપેલું જોવામાં આવે છે તે વાત હવે બદલાઈ ગઈ; અને ચેથા અને પાંચમા સૈકામાં ધાર્મિક સદાચારનું શિરસ્થાન બ્રહ્મચર્યને અપાવા લાગ્યું. અને આ બ્રહ્મચર્ય એટલે પરણેતર છંદગીનું નિષ્કલંક જીવન અથવા દાંપત્ય-ધર્મનું યથાર્થ પાલન-એમ નહિ, પરંતુ મનુષ્યના સ્વભાવમાં વિષયેચ્છાનું જે તવ વાસ્તવિક છે, તેને કેવળ ઉચ્છેદ કરે તે-લગ્ન કરવાની વાત તે એક કરે રહી, પણ સ્ત્રીના સામું પણ જેવું નહિ, અને વિલાસની વૃત્તિ અંતરમાં ઉઠે તે તેને ગમે તેમ કરીને દબાવી દેવી અને તે અર્થે દેહ-દમન કરવું એ નૈતિક દૃષ્ટિબિંદુ સંત જીવનનું હતું. આમાંથી કેટલાંક અગત્યનાં પરિણામ આવ્યાં છે. પ્રથમ પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે ઘણું વિષાદમય રૂપ ધર્મ ધારણ કરવા માંડયું. વિષય-વૃત્તિને પ્રવેશ આપણું સ્વભાવના સ્વરૂપમાં જ છે, તેથી તેને કેવળ નિર્મળ કરી નાખવી એ આપણું સ્વભાવના નિયમની ખાસ વિરૂદ્ધ છે; છતાં એ સ્થિતિએ પહોંચવાને સંત-જીવનને